PACLના 19 લાખ રોકાણકારોને 920 કરોડથી વધુનું રિફંડ : સેબી

PACLના 19 લાખ રોકાણકારોને 920 કરોડથી વધુનું રિફંડ : સેબી

PACL (પર્લ એગ્રોટેક કોર્પો. લિ.) માં રોકાણ કરનારા 19 લાખ રોકાણકારોને રિફંડ તરીકે રૂ.920 કરોડ મળ્યા છે. રોકાણકારોએ રૂ.17,000 સુધીના ક્લેમ કર્યા હતા. માર્કેટ નિયામક સેબીને જાણવા મળ્યું હતું કે PACL લિમિટેડે છેલ્લા 18 વર્ષમાં એગ્રિકલ્ચર અને રિયલ એસ્ટેટ બિઝનેસના નામે ગેરકાયદેસર ક્લેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (CISs) મારફતે રોકાણકારો પાસેથી રૂ.60,000 કરોડ એકત્ર કર્યા હતા. નિવૃત્ત જસ્ટિસ આર.એમ લોઢાની અધ્યક્ષતા હેઠળની પેનલે રોકાણકારો માટે તબક્કાવાર રિફંડની પ્રક્રિયા ચાલુ કરી છે. PACLમાં રોકાણ કરનારા લોકો માટે આ રિફંડની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

સેબીની વેબસાઇટ પર ઉપલબ્ધ નિવેદન અનુસાર સમિતિએ રિફંડ માટેની 19,61,690 અરજીઓ માટે રૂ.919 કરોડના રિફંડની પ્રક્રિયા શરૂ કરી છે. સમિતિએ ફેબ્રુઆરીમાં PACLમાં રૂ.17,000 સુધીનું રોકાણ ધરાવતા રોકાણકારો પાસેથી PACL લિમિટેડના અસલ પ્રમાણપત્ર મગાવ્યું હતું જેથી કરીને અસલ પ્રમાણપત્રની ખરાઇ બાદ રોકાણકારોને તેમના પૈસા પરત કરી શકાય. ઓરિજિનલ સર્ટિફિકેટને સ્વીકારવા માટેની સમયમર્યાદા 27 ફેબ્રુઆરીથી 20 માર્ચ, 2023 સુધીની હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow