ગોલ્ડ જ્વેલરીનું રિસાઇક્લિંગ રેકોર્ડ સ્તરે પહોંચશે

ગોલ્ડ જ્વેલરીનું રિસાઇક્લિંગ રેકોર્ડ સ્તરે પહોંચશે

સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવાની અસર દેખાવા લાગી છે. લોકો જુના દાગીનાને જંગી નફામાં વેચી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ છે કે આ વર્ષે સોનાના વેચાણમાં સેકન્ડ હેન્ડ જ્વેલરીનો હિસ્સો વધીને 40% થઈ શકે છે જે સામાન્ય રીતે 25% છે. કાઉન્સિલના જણાવ્યા અનુસાર જો ભાવમાં તેજી ચાલુ રહેશે તો ભારતમાં રિસાયકલ સોનાના વેચાણમાં આ વર્ષે 20%થી વધુનો ઉછાળો જોવા મળી શકે છે.

આ આંક 2019ના 119.5 ટનના રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. ભારતના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઇઓ સોમસુંદરમ જણાવ્યું હતું કે, “છેલ્લા 12 મહિનામાં ભારતીય બજારમાં સોનાના ભાવમાં લગભગ 20%નો ઉછાળો જોવા મળ્યો છે. આ વૈશ્વિક સ્તરે કિંમતોમાં બમણાથી વધુ વધારો છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે સોનું મોંઘુ થઈ રહ્યું છે. સોમસુંદરમના જણાવ્યા અનુસાર ખેડૂતો ઘણીવાર સારા પાક પછી સોનું ખરીદે છે અને જરૂર પડ્યે તેને વેચે છે.

ભારતીય ઘરો અને મંદિરોમાં લગભગ 25000 ટન સોનું છે. સોમસુંદરમના જણાવ્યા અનુસાર જો આ વર્ષે ચોમાસું નબળું રહેશે તો વપરાયેલી સોનાની જ્વેલરીના વેચાણમાં વધુ વધારો થઈ શકે છે પરંતુ દેશમાં વરસાદની મોસમ શરૂ થઈ હોવાથી તે કહેવું વહેલું છે. સામાન્ય રીતે વપરાયેલી જ્વેલરી સોનાના વેચાણમાં 25% હિસ્સો ધરાવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow