RBIનો વિલફુલ ડિફોલ્ટર્સ માટેના ધોરણોમાં ફેરફાર માટેનો પ્રસ્તાવ

RBIનો વિલફુલ ડિફોલ્ટર્સ માટેના ધોરણોમાં ફેરફાર માટેનો પ્રસ્તાવ

આરબીઆઇએ વિલફુલ ડિફોલ્ટર્સ માટેના ધોરણોમાં કેટલાક ફેરફાર માટેનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં નવી વ્યાખ્યા પ્રમાણે એવા ડિફોલ્ટર્સ જેઓને રૂ.25 લાખ કે તેથી વધુ રકમની ચૂકવણી કરવાની બાકી છે અને ચૂકવણી કરવાની ક્ષમતા હોવા છતાં ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો હોય તેવા ડિફોલ્ટર્સ સામેલ છે. RBIએ નવા ડ્રાફ્ટ માસ્ટર માટેના નિર્દેશો પર સૂચનો મંગાવ્યા છે જે ધિરાણદારો માટેના અવકાશને વિસ્તૃત કરવાની દરખાસ્ત કરે છે, જે લોન લેનારાને વિલફુલ ડિફોલ્ટર્સ તરીકે વર્ગીકૃત કરી શકે છે અને ઓળખ પ્રક્રિયાને સુધારી શકે છે.

વિલફુલ ડિફોલ્ટર્સ ધિરાણ સુવિધાના રિસ્ટ્રક્ચરિંગ માટે પાત્ર નહીં હોય અને અન્ય કોઇપણ કંપનીના બોર્ડમાં રહી શકે નહીં. ડ્રાફ્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ધિરાણદારો જ્યારે પણ વોરન્ટ હોય ત્યારે લોન લેનારા તેમજ લોનની વસૂલાત માટે ઝડપીથી કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. તે એકાઉન્ટને નોન-પરફોર્મિંગ એસેટ તરીકે વર્ગીકૃત કર્યાના 6 મહિનાની અંદર ડિફોલ્ટ થવાના પાસાઓ પર સમીક્ષા કરી શકશે. ડ્રાફ્ટ પરના સૂચનો 31 ઓક્ટોબર સુધી RBIને જમા કરાવી શકાશે. આ નવા નિદેર્શનો આશય ધિરાણદારોને ચેતવણી આપવા માટે પણ છે. તેના માટે એક એવી સિસ્ટમ સ્થાપિત કરવાની દરખાસ્ત છે કે બેન્કોને ચેતવવા માટે વિલફુલ ડિફોલ્ટર્સ અંગેની ધિરાણ માહિતી તેઓને અગાઉથી આપવામાં આવે જેથી કરીને બેન્કો તેમને વધુ લોન ન આપે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow