RBIના 0.50bps વધારાને હવે શેર બજાર ડિસ્કાઉન્ટ કરે તો નવાઇ નહીં

RBIના 0.50bps વધારાને હવે શેર બજાર ડિસ્કાઉન્ટ કરે તો નવાઇ નહીં

ભારતીય શેરબજારમાં સતત સાતમા દિવસે નેગેટિવ ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. રોકાણકારો આરબીઆઈના વ્યાજ દરના નિર્ણય પહેલાં વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં છે જોકે, જો આરબીઆઇ 0.50bps વધારો આપે તો પણ હવે બજાર તેને ડિસ્કાઉન્ટ કરશે તેવો નિર્દેશ મોટાભાગના એનાલિસ્ટો દર્શાવે છે.

માર્કેટમાં કરેક્શન આવવાનું હતુ તે આવી ચૂક્યું છે ઘટાડા માટે હવે મોટા કારણો નથી. વિદેશી રોકાણકારોની વેચવાલીનો ટ્રેન્ડ અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની સ્થિતી કેવી રહે છે તેના પર બજારની ચાલ નિર્ભર રહેશે. સેન્સેક્સ 188.32 પોઈન્ટ ઘટીને 56409.96 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 40.50 પોઈન્ટ ઘટીને 16818.10 રહ્યો છે.

રોકાણકારોની મૂડી નજીવી ધટી 268.15 લાખ કરોડ જ્યારે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 13 પૈસાની નજીવી મજબૂતી સાથે 81.80 બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં એશિયન પેઇન્ટ્સ સૌથી વધુ 5.22 ટકા ઘટવા સાથે ટેક મહિન્દ્રા, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ પણ બે ટકાથી વધુ ઘટ્યાં છે. આરબીઆઇએ મે મહિનાથી ટૂંકા ગાળાના ધિરાણ દર (રેપો)માં 140 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો છે તે ફરીથી 50-bpsનો વધારો કરીને તેને 5.9 ટકાની ત્રણ વર્ષની ટોચે લઈ જઈ શકે છે.

સ્મોલકેપ 0.63 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ 0.31 ટકા વધ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં યુટિલિટીઝ 1.38 ટકા, પાવર 1.30 ટકા,આઇટી 0.60 ટકા સુધી ઘટ્યા હતા.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow