આરબીઆઈ ગવર્નરનું નિવેદન

આરબીઆઈ ગવર્નરનું નિવેદન

વૈશ્વિક આર્થિક અનિશ્વિતતાના માહોલ વચ્ચે ડોલર સામે રૂપિયાના સતત અવમૂલ્યનને લઇને RBI ગવર્નર શક્તિકાંત દાસે લોકોને એક વ્યાપક દૃષ્ટિકોણથી સ્થિતિને સમજવાની અપીલ કરતા કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી ભૌગોલિક-રાજકીય અનિશ્વિતતા વચ્ચે ડોલર સામે રૂપિયાનું વલણ સ્થિર રહ્યું છે. અન્ય કરન્સીની તુલનાએ રૂપિયાનું ઓછું અવમૂલ્યન થયું છે તેમજ વાસ્તવમાં, કેટલીક કરન્સી સામે તેમાં વધારો પણ થયો છે.

વાર્ષિક FIBACની કોન્ફરન્સને સંબોધિત કરતા દાસે જણાવ્યું હતું કે માર્કેટમાં વાસ્તવિકતાની પરખ કર્યા વગર સતત રૂપિયાના અવમૂલ્યનની વાતો થઇ રહી છે જેથી કરીને કોઇપણ પ્રકારની ખોટી ભાવનાઓ વગર માત્રને માત્ર વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવે તે આવશ્યક છે. તાજેતરની ભૌગોલિક રાજકીય કટોકટીની શરૂઆતથી ડોલર સામે રૂપિયામાં સતત સ્થિર ચાલ જોવા મળી રહી છે. આપણે વૈશ્વિક અનિશ્વિતતાઓને આત્મવિશ્વાસ, સહનશક્તિ અને આ પડકારને પણ માત આપવામાં સક્ષમ રહીશું તેવા આશાવાદ સાથે સામનો કરવો જોઇએ.

ફ્રાન્ક, સિંગાપોર ડોલર અને રશિયન રૂબલ તેમજ ઇન્ડોનેશિયનને બાદ કરતા મોટા ભાગની કરન્સીનું ડોલર સામે અવમૂલ્યન થયું છે. જ્યારે અન્ય મોટી કરન્સીની તુલનાએ રૂપિયાનું ડોલર સામે પ્રદર્શન મજબૂત રહ્યું છે. ડોલર સામે રૂપિયામાં જાપાનીઝ યેનની તુલનામાં 12.4 ટકા, ચાઇનીઝ યુઆનની તુલનામાં 5.9%, પાઉન્ડ કરતા 4.6 %, યુરો સામે 2.5 ટકા વધારો થયો છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow