મુંબઈમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રાજકોટની સોની બજારનો દબદબો

મુંબઈમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રાજકોટની સોની બજારનો દબદબો

મુંબઈ ખાતે જીજેઇપીસી દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ સહિત દેશ વિદેશના 3500 સ્ટોલધારકે ભાગ લીધો છે તેમજ વિશ્વભરમાંથી મુલાકાતીઓ આવી રહ્યા છે. ત્રણ દિવસના પ્રદર્શનમાં રાજકોટની સોની બજારને 200 કિલો દાગીનાના ઓર્ડર મળ્યા છે.

આમ રાજકોટની સોની બજારના વેપારીઓ, કારીગરોની દિવાળી સુધરી ગઈ છે. હજુ આ ઓર્ડર મળવાની સંભાવના વધારે છે. આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં રાજકોટ, જૂનાગઢ, ગોંડલ, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતભરના વેપારીઓએ ભાગ લીધો છે. આમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ગુજરાતની જે માર્કેટ છે એમાં રાજકોટની સોની બજારનો 40 ટકા હિસ્સો ગણી શકાય છે.

લાઈટ વેઇટ જ્વેલરીથી લઈને એન્ટિક દાગીનાની ડિઝાઇન રજૂ થઈ
મુંબઈ ખાતે જે એક્ઝિબિશનમાં દુબઈ, બેંગકોક સહિત વિશ્વભરના અને ભારત દેશના સાઉથ, મુંબઈ, ગુજરાતી અને સૌરાષ્ટ્રના ઝવેરીઓએ ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં લાઈટ વેઈટ જ્વેલરીથી લઈને એન્ટિક અને ટેમ્પલ જ્વેલરી રજૂ થઈ છે. આ ઉપરાંત ફોન માટે સોનાના કવર પણ સ્પેશિયલ બનાવવામાં આવ્યા છે.

જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમને ભાગ લીધો છે એ વેપારીઓના જણાવ્યાનુસાર મુંબઈમાં બે જગ્યાએ સ્ટોલ રખાયા છે. મુલાકાતીઓ માટે 2થી 4 કલાકનું વેઈટિંગ છે. ખરીદી માટે લોકોથી લઈને વેપારીઓ, ઉદ્યોગપતિ, મોટા-મોટા બિલ્ડરો આવી રહ્યા છે. રાજકોટથી 40 વેપારી જોડાયા છે અત્યારે જેના ઓર્ડર નોંધાશે તેની ડિલિવરી 2-3 મહિના બાદ મળશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow