રાજકોટ 14 દી’ પહેલા જ પરણેલા યુવકે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

રાજકોટ 14 દી’ પહેલા જ પરણેલા યુવકે ફાંસો ખાઇ કરી આત્મહત્યા

શહેરના ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા અને 14 દિવસ પૂર્વે જ લગ્ન કરી સાંસારિક જિંદગીનો પ્રારંભ કરનાર યુવકે બુધવારે રાત્રે પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, બનાવથી પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. ખોરાણામાં કૂવામાં પડી જવાથી બાળકીનું મૃત્યુ થયું હતું.

આંબેડકરનગરના નીતિન ભરતભાઇ ચાવડા (ઉ.વ.26)એ પોતાના ઘરે ઉપરના રૂમમાં છતના હૂકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો, લાંબો સમય વીતવા છતાં નીતિન પોતાના રૂમમાંથી બહાર નહીં આવતા પરિવારજનો ઉપરના રૂમમાં જતા જ નીતિનનો લટકતો દેહ જોવા મળ્યો હતો, યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નીતિન બે ભાઇમાં મોટો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, તેના 14 દિવસ પૂર્વે જ થોરાળા વિસ્તારની યુવતી સાથે લગ્ન થયા હતા, તેની પત્ની પિયર આંટો મારવા ગઇ હતી અને બુધવારે તેને તેડવા તે જવાનો હતો.

પરંતુ ત્યાં જવાને બદલે ઘરે રહી ફાંસો ખાઇ લીધો હતો, યુવકના આપઘાતથી જ્યાં 14 દિવસ પૂર્વે લગ્નના ગીતો ગવાયા હતા ત્યાં મરસિયા શરૂ થતાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow