ભારતીય હાઈ કમિશન પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

ભારતીય હાઈ કમિશન પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુકેના પીએમ ઋષિ સુનક સાથે વાત કરી હતી. તેમણે સુનક પાસેથી ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. આ સાથે પીએમએ બ્રિટનમાં શરણ લેનાર વિજય માલ્યા, નીરવ મોદીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે બ્રિટિશ સરકારને તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બનાવવાની માગ કરી હતી. તે જ સમયે, મોદીએ સુનકને સપ્ટેમ્બરમાં યોજાનારી જી-20 સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. સુનકે પણ G-20ના ભારતના અધ્યક્ષપદને સપોર્ટ કર્યું.

PMએ કહ્યું- ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરો
પીએમ મોદીએ સુનકને કહ્યું કે હાલમાં બ્રિટનમાં કેટલાક ભારત વિરોધી તત્વો ખુલ્લેઆમ કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે, જે ચિંતાજનક છે. આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જવાબમાં સુનકે ખાતરી આપી હતી કે બ્રિટનમાં ભારતીય દૂતાવાસોની સુરક્ષામાં કોઈ ચૂક નહીં થાય. તેમણે વધુમાં કહ્યું કે લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલો ક્યારેય સ્વીકારી શકાય નહીં.

પીએમ મોદીએ સુનક સાથે ભારત અને યુકે વચ્ચેના આર્થિક સંબંધો પર પણ ચર્ચા કરી હતી. બંનેએ ભારત-યુકે રોડમેપ 2030 પર લાંબી ચર્ચા કરી હતી. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોએ ભારતની સરકારી તિજોરી લૂટી છે અને બ્રિટનમાં છુપાઈ ગયા છે. આવા ગુનેગારોને વહેલામાં વહેલી તકે પ્રત્યાર્પણ કરો જેથી તેઓને ભારતના કાયદા મુજબ સજા મળી શકે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow