જૂનમાં વરસાદ ઓછો, ગરમી વધારે પડશે

જૂનમાં વરસાદ ઓછો, ગરમી વધારે પડશે

દેશમાં હજુ ચોમાસાની શરૂઆત પણ થઇ નથી ત્યારે અલ-નીનોએ તેની અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. આના કારણે જૂનમાં વરસાદ ઓછો અને ગરમી વધારે પડી શકે છે. હવામાન વિભાગે શુક્રવારે જારી કરેલા અંદાજમાં કહેવામાં આવ્યું છે કે ચાર મહિના સુધી ચાલનાર ચોમાસાના પ્રથમ મહિના જૂનમાં સામાન્ય કરતાં ઓછો 92 ટકા વરસાદ થવાના સંકેત છે. જૂનમાં સામાન્ય રીતે દેશમાં 165.4 મીમી વરસાદ થાય છે. અલબત્ત આઇએમડીએ દેશભરમાં સમગ્ર ચોમાસા દરમિયાન સામાન્ય એટલે કે 96 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની સિઝનમાં સામાન્યથી ઓછો એટલે કે 92 ટકા, મધ્ય ભારત, પૂર્વ અને પૂર્વોતર તેમજ દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના નિષ્ણાત કહી રહ્યા છે કે જૂનમાં થનાર ઓછા વરસાદની ભરપાઇ આવનાર મહિનામાં થશે. મેમાં આ વખતે સામાન્યથી ઓછું તાપમાન રહ્યું છે, પરંતુ હવામાન વિભાગે કહ્યું છે કે જૂનમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન રહેશે.

હવામાન વિભાગના વિજ્ઞાની ડી.એસ. પઇએ કહ્યું છે કે અલ-નીનો વર્ષના વરસાદની અછત સાથે સીધો સંબંધ હોતો નથી. 1951થી હજુ સુધી 15 વખત એવુ બન્યું છે, જ્યારે મોનસૂન દરમિયાન અલ નીનોની સ્થિતિ પણ રહી હતી. આ પૈકી નવ વખત મોનસૂનમાં 90 ટકા કરતાં ઓછો (સામાન્ય કરતાં ઓછો) , ચાર વખત સામાન્યની આસપાસ એટલે કે 90થી 100 ટકાની વચ્ચે અને બે વખત 100 ટકા એટલે કે સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow