RBI આગામી બેઠકમાં વ્યાજદર જાળવી રાખશે: એસબીઆઇ ચેરમેન

RBI આગામી બેઠકમાં વ્યાજદર જાળવી રાખશે: એસબીઆઇ ચેરમેન

આરબીઆઇ તેની આગામી MPC બેઠક દરમિયાન યથાસ્થિત જાળવી રાખે તેવી શક્યતા સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના ચેરમેન દિનેશ ખારાએ વ્યક્ત કરી હતી. ઔદ્યોગિક સંગઠન CII દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે એક બેન્ક તરીકે વ્યાજદરમાં ઘટાડો થાય તેવી કોઇ શક્યતા જણાતી નથી અને RBI યથાસ્થિતિ જાળવી રાખશે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

RBIની આગામી મોનેટરી પોલિસીની બેઠક આગામી 8-10 ઓગસ્ટના રોજ યોજાશે. નોંધનીય છે કે RBIએ સતત બીજી મોનેટરી પોલિસીની બેઠક દરમિયાન દરેકને અચંબિત કરતા વ્યાજદરો યથાવત્ રાખ્યા હતા પરંતુ ચોમાસા પર નજર રાખવા દરમિયાન ફુગાવો હળવો થાય છે કે નહીં તેનું પણ આકલન કરાશે તેવા સંકેતો આપ્યા હતા. રિટેલ સેક્ટરમાં મજબૂત માંગને કારણે કોર્પોરેટ સેક્ટરમાં ક્ષમતાના વિસ્તરણ માટે રોકાણની જરૂરિયાત ઉભી થઇ છે. વપરાશ વધી રહ્યો છે અને કોર્પોરેટ સેકટર પણ હવે મૂડીખર્ચ અંગે યોજના બનાવી રહ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow