રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા. મારી ભૂલના કારણે તમને ગાળો બોલી હતી. એના ખોટા પ્રેમમાં પડી હું તેના ઉપર ખોટો વિશ્વાસ કરી બેઠી અને છેલ્લા 2 મહિનાથી હું સહન કરતી હતી, પણ હવે સહન કરીને હું હારી ગઈ છું', આ શબ્દો લખીને રાજકોટની ફેમસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીર ફીનાઈલ પીધું હતું. જોકે યુવતીની હાલત સ્થિર છે અને તેણે પોલીસમાં આરોપી પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં રહેતી સમા ભાયાણી સોશિયલ મીડિયામાં 'જન્નત મીર' નામથી તરીકે ખ્યાતનામ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર 5.79 લાખ ફોલવર્સ ધરાવતી જન્નત મીરે કાલે બુધવાર રાત્રે પોતાના ઘરે ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ પહેલા તેણે ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી હતી. 'જન્નત મીર'એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેના પ્રેમી ઇમ્તિયાઝ રાઉમાએ તેને તોફાની રાધાની જેમ મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે, જન્નત મીરે એવો પણ આક્ષેપ કર્યો છે કે, આરોપી લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમા તોફાની રાધા ઉર્ફે રાધિકા ધામેચાનો બોયફ્રેંડ હતો અને તેને પણ માર મારતો હતો.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ઇમ્તિયાઝ સાથે પ્રેમસંબંધ હોવાથી 28 જુલાઈથી 18 ઓગસ્ટ, 2025 દરમિયાન અવારનવાર ઘરે આવી યુવતી અને તેની માતા સાથે માથાકૂટ કરતો હતો. યુવતીના માનીતા ભાઈ તેમજ મિત્રના ફોનમાંથી કોન્ફરન્સ કોલમાં ફોન કરી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow