રાજકોટની 8 વિધાનસભામાં SIR ની 60% કામગીરી પૂર્ણ

રાજકોટની 8 વિધાનસભામાં SIR ની 60% કામગીરી પૂર્ણ

રાજકોટની 8 વિધાનસભાના 2256 બુથના મત વિસ્તારમાં ગત 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવેલી સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન(SIR)ની 21 દિવસની કામગીરીમાં 60 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જિલ્લામાં કુલ 23.91 લાખ મતદારોને સૌપ્રથમ ફોર્મ વિતરણ કરાયા બાદ તેમાંથી આજની સ્થિતિએ કુલ 15 લાખ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે તેમાં 51000 મતદારો એવા છે કે તેમનું મૃત્યુ થઈ ગયું છે તેમ છતાં પણ તેમના નામ મતદારયાદીમાં હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 1.66 લાખ જેટલા મૃત મતદારો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 4 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરીને પરત નહીં આપનારના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવશે.

વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બીએલઓ દ્વારા ત્રણ વખત મતદારોના ઘરની મુલાકાત કરી લીધી છે. આ દરમિયા ચાર દિવસ મતદાન મથક ઉપર ખાસ કેમ્પ પણ રાખવામાં આવ્યા હતા જેમાં 2002ની યાદીમાં જે મતદારોના નામ હતા તે મતદારોએ ફોર્મ ભરી બીએલઓને જમા કરાવી લીધા છે. હવે મતદાર યાદીમાં નામ રાખવુ કે કમી કરાવવાની જવાબદારી મતદારોની છે. બીએલઓ ફોર્મ લેવા નહી આવે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow