રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 29 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવી આજે વિજય દશમીના દિવસે સાંજે સાત વાગ્યે રેસકોર્ષ મેદાન ખાતે રાવણ દહનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે જુદા-જુદા ત્રણ પૂતળાનું નિર્માણ યુપીનાં ખાસ કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાથે જ શસ્ત્ર પૂજનની પરંપરા પણ જાળવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે VHP નેતા ધર્મેન્દ્ર ભાવાણીએ કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ અને મેવાણી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણી જીતવી હોય તો નામ પાછળ ઇન્દ્રનીલ ખાન અને જીજ્ઞેશ ખાન બનવું પડશે..

દશેરાનાં પવિત્ર દિવસે આસુરી શક્તિનાં વિનાશ માટે દર વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ માટે રાક્ષસનું પૂતળું બનાવવા ઉત્તરપ્રદેશના 25 જેટલા કારીગરો રાજકોટ આવતા હોય છે. જેની અઠવાડિયાની મહેનતના અંતે એક મોટું 54 ફૂટનું અને 45-45 ફૂટના બે નાનાં મળી કુલ ત્રણ પૂતળાં તૈયાર કરવામાં આવે છે જેનું રેસકોર્ષ મેદાન ખાતે દહન કરવામાં આવ્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow