રાજકોટમાં લંગડાતા અને ખુલ્લા પગે પેંડા ગેંગની 'પાપા પગલી'

રાજકોટમાં લંગડાતા અને ખુલ્લા પગે પેંડા ગેંગની 'પાપા પગલી'

રાજકોટના મંગળા રોડ પર પેંડા ગેંગ VS મૂર્ઘા ગેંગ વચ્ચે જૂની અદાવતમાં સામસામે થયેલ અંધાધૂંધ ફાયરિંગ ઘટનામાં પોલીસે પેંડા ગેંગના 7 આરોપીની ધરપકડ કરી છે. જયારે હજુ પણ ફરાર મૂર્ઘા ગેંગના શખ્સોને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે ગઢવી ગેંગના 7 આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરી શહેર SOG પોલીસ દ્વારા ઘટનાસ્થળે લઇ જઇ તેનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બંને ગેંગ વચ્ચે છેલ્લા 10 મહિનાથી ગેંગવોર ચાલી રહી છે અને સામસામે ત્રણ વખત ફાયરિંગ કરવામાં આવી છે.

રાજકોટ DCP ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટના મંગળા રોડ પર બે દિવસ પહેલા વહેલી સવારે 3.30 વાગ્યે પ્રગતિ હોસ્પિટલ પાસે જાહેર રોડ ઉપર સામસામે ફાયરીંગનો બનાવ બન્યો હતો. આ પછી પોલીસે બનાવ અંગે આસપાસના CCTV અંગે તપાસ શરૂ કરી હતી અને હોસ્પિટલના સિક્યોરિટી તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. આ કેસમાં ચોક્કસ બાતમીના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હર્ષદીપસિંહ ઉર્ફે મેટીયો ઝાલા, જયવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા, હિમંત ઉર્ફે કાળું ગઢવી, લક્કીરાજસિંહ ઝાલા, મનિષદાન બાદાણી અને પરિમલ ઉર્ફે પરિયો સોલંકી સહિત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમની પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલ હાથિયાર, કાર્ટીસ, I20 કાર, મોબાઈલ મળી કુલ 3.75 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow