રાજકોટમાં ગણેશોત્સવ પર રૂ. 500 થી 12,000ના કિલો વાળા મોદકની ડિમાન્ડ

રાજકોટમાં ગણેશોત્સવ પર રૂ. 500 થી 12,000ના કિલો વાળા મોદકની ડિમાન્ડ

આવતીકાલથી ગણેશ ઉત્સવની ઉજવણી શરૂ થવા જઈ રહી છે ત્યારે ખાસ આ વર્ષે રાજકોટની બજારમાં ગણપતિ બાપાને પ્રિય એવા મોદકની અવનવી 50થી વધુ વેરાયટી ઉપલબ્ધ છે. બજારમાં આ વર્ષે 500થી લઇ 12,000 રૂપિયાના એક કિલો મોદક ઉપલબ્ધ છે. જેમાં સોનાના વરખ ચડાવેલા મોદકનો સમાવેશ થાય છે. સાથે સાથે ફેન્સી મોદક એટલે કે ડિઝાઈનર રીતે માખણ ભરેલ મટકી સાથે, કમળની વચ્ચે મોદક, પાન ઉપર મોદક, શંખ સાથે મોદક જેવી અલગ અલગ 20 જેટલી ડિઝાઈનર રીતે તૈયાર કરેલ ફેન્સી મોદક પણ બજારમાં ઉપલબ્ધ છે. જે મુખ્ય આકર્ષનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત માવા, ડ્રાયફ્રુટ, ચોકલેટ, કેસર અને બદામ સહિતની ફ્લેવરમાં મળતા મોદક તો બજારમાં ધૂમ મચાવી જ રહ્યા છે.

ગણપતિ બાપાને લાડુ પ્રિય છે પરંતુ મોદક તેને અતિ પ્રિય છે અને એટલા જ માટે ચાર દાયકાઓથી રાજકોટમાં મીઠાઈનો વેપાર કરતા વેપારીએ લોકોને કૈક નવું આપવાની ભાવના સાથે ખાસ અલગ અલગ પ્રકારના 60 જેટલા મોદક તૈયાર કરી ખાસ 20 જેટલા ફેન્સી ડિઝાઈનર મોદક પણ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહિ આ વર્ષે 500 થી લઇ 12,000 રૂપિયા કિલો મોદક મળી રહ્યા છે જેમાં સોનાના વરખ સાથે શ્રેષ્ઠ સૌથી મોંઘા 12,000 રૂપિયા કિલો મોદક મળી રહ્યા છે.

ગણેશોત્સવને લઈ ખાસ તૈયાર કરાયા મોદક વેપારી કિશોરભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી ખાસ મોદકમાં અલગ અલગ વેરાયટી તૈયાર કરવામાં આવી છે. દર વર્ષે અમારે ત્યાં આ 10 દિવસ દરમિયાન લગભગ 200થી 300 કિલો મોદકનું વેચાણ થતું હોય છે. આ વર્ષે ગ્રાહકોને કૈક નવું આપવા માટે અમે ડ્રાયફ્રુટ અને માવાના બદામ સાથે ખાસ ફેન્સી ડિઝાઈનર મોદક પણ તૈયાર કર્યા છે જેમાં સોનાના વરખ ચડાવેલા મોદકનો સમાવેશ થાય છે સાથે સાથે ફેન્સી મોદક એટલે કે ડિઝાઈનર રીતે માખણ ભરેલ મટકી સાથે, કમળની વચ્ચે મોદક, પાન ઉપર મોદક, શંખ સાથે મોદક જેવી અલગ અલગ 20 જેટલી ડિઝાઈનર રીતે તૈયાર કરેલ ફેન્સી મોદકનો સમાવેશ થાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow