રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ હવે આગામી 22 ઓગસ્ટના રોજ 3 સાક્ષીને તપાસવામાં આવશે જેમાં ચાર્જશીટ મુજબ મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર જે.પી. શાહ, ડો. એસ.ડી. ભુવા અને ડો. વી.જે અઘેરાને તપાસવામાં આવશે. જેથી તા. 22 ઓગસ્ટના રોજ ત્રણેય ડોક્ટરોએ પોતે કરેલા પોસ્ટમોર્ટમ અંગે જાણકારી કોર્ટ સમક્ષ જણાવશે.

આજ રોજ તમામ આરોપી દ્વારા સરકાર તરફે રજૂ થયેલા કેસને લગતા ડોક્યુમેન્ટ કબૂલ ન હોવાની લેખિત રજૂઆત કરી હતી. આ સાથે અન્ય આરોપીઓને જામીન આપવામાં આવ્યા તો મને પણ જામીન પર મુક્ત કરવો જોઈએ તેવી દલીલ ધવલ ઠક્કરે કરતા કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ધવલ ઠક્કર TRP ગેમઝોનની ધવલ કોર્પોરેશન પેઢીનો પ્રોપ્રાઇટર છે એટલે કે, મુખ્ય આરોપીઓ પૈકીનો એક આરોપી હોવાથી ધવલ ઠક્કરના જામીન ફગાવવામાં આવ્યા છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને આજે એક વર્ષ કરતા વધુ સમય થયો છે અને ચાર્જશીટ રજૂ કર્યા બાદ સેશન્સ કોર્ટમાં કુલ 24 મુદત પડી ચુકી છે. ગત 7 જુલાઈના રોજ કોર્ટે સાત આરોપીની ડીસચાર્જ અરજી રદ કરી બાદમાં 17 જુલાઈએ તમામ આરોપીઓને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હતું અને કેસ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. આ પછી આરોપીઓના વકીલ દ્વારા સમયની માંગણી કરવામાં આવતા કોર્ટે 8 ઓગસ્ટ મુકરર કરતા આજે કોર્ટ દ્વારા કેસમાં આગળની તારીખ 22 ઓગસ્ટ જાહેર કરી આ દિવસે 3 સાક્ષીને તપાસવામાં આવશે. મૃતદેહના પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર જે.પી.શાહ, ડો. એસ.ડી.ભુવા અને ડો. વી.જે.અઘેરાને તપાસવામાં આવશે જેથી તારીખ 22 ઓગસ્ટના રોજ ત્રણેય ડોક્ટર પોતે કરેલા પોસ્ટમોર્ટમ અંગે જાણકારી કોર્ટ સમક્ષ જણાવશે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow