પુષ્ય નક્ષત્ર અને મંગળવાના યોગમાં હનુમાનજી સાથે જ મંગળદેવની પૂજા કરો

પુષ્ય નક્ષત્ર અને મંગળવાના યોગમાં હનુમાનજી સાથે જ મંગળદેવની પૂજા કરો

18 ઓક્ટોબરના રોજ મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો યોગ હોવાથી મંગળ પુષ્ય રહેશે. આ ખરીદીનો શુભયોગ છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મંગળ પુષ્યના દિવસે મંગળ ગ્રહ માટે ખાસ પૂજા કરવી જોઈએ. દર મંગળવારે મંગળના જન્મ સ્થાન ઉજ્જૈનમાં મંગલનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવ મંદિરમાં અનેક ભક્તો મંગળદેવની પૂજા કરવા પહોંચે છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહને લગતા દોષ છે, તેમના માટે આ એક શુભ અવસર છે.

શિવલિંગ સ્વરૂપમાં મંગળની પૂજા કરવામાં આવે છે.

મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. મંગળ ગ્રહને લાલ વસ્તુઓ ખાસ ચઢાવવામાં આવે છે- જેમ કે, લાલ વસ્ત્ર, લાલ ગુલાલ, લાલ ફૂલ, લાલ મસૂર વગેરે. આ ગ્રહની પૂજામાં મંગળના મંત્ર ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

જ્યોતિષમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવ્યાં છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. કુંડળીમાં આ ગ્રહની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સાહસની ઉણપ રહે છે. આ સિવાય પારિવારિક સંબંધોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મંગળ પુષ્યના દિવસે કરવામાં આવતી મંગળ પૂજાથી આ સમસ્યાઓની અસર ઓછી થાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow