ભારત પાસેથી રિફાઇન્ડ કરાવીને તેલની યુરોપિયન દેશો દ્વારા ખરીદી

ભારત પાસેથી રિફાઇન્ડ કરાવીને તેલની યુરોપિયન દેશો દ્વારા ખરીદી

યુક્રેન પર હુમલા અંગે અમેરિકા અને યુરોપના દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેની પાસેથી ઈંધણ ખરીદવા પર પ્રતિબંધ મુકેલા છે. જ્યારે ભારતે અમેરિકા-યુરોપના વાંધાને નજરઅંદાજ કરીને રશિયા પાસેથી સસ્તું ખનિજ તેલ ખરીદવાનો નિર્ણય લીધો હતો. હવે એ જ રશિયાનું ખનિજ તેલ યુરોપના દેશો ભારત પાસેથી રિફાઈન્ડ ઈંધણ તરીકે વધુ કિંમત ચૂકવીને ખરીદી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, ભારતીય તેલ રિફાઈનરીઓ પર યુરોપના મોટા માર્કેટે કબજો કરી લીધો છે.

ડેટાથી સ્પષ્ટ થાય છે કે, યુરોપ ભારતના માધ્યમથી વિક્રમી પ્રમાણમાં રિફાઈન્ડ રશિયન ઈંધણ ખરીદી રહ્યું છે અને તેના બદલે મોટી રકમ પણ ચુકવી રહ્યું છે. આ કારણે યુરોપના લોકોને ઈંધણ પર ટેક્સના સ્વરૂપમાં પોતાનાં ખિસ્સા ખાલી કરવા પડી રહ્યા છે. મુખ્ય ક્રૂડ એનાલિસ્ટ વિક્ટર કૈટોનાએ કહ્યું કે, ‘તમામ પ્રતિબંધો છતાં રશિયાનું ખનિજ તેલ યુરોપમાં પરત આવી રહ્યું છે. ભારતની ઈંધણની નિકાસમાં તેજી આ વાતનું ઉદાહરણ છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જોવા મળ્યું હતું કે, યુરોપના દેશ ચીન પાસેથી જે એલએનજી ખરીદી રહ્યા છે તે રશિયાનો છે, જેને ચીન સસ્તામાં ખરીદીને મોંઘા ભાવે વેચી રહ્યું છે. હવે પેટ્રોલ, ડીઝલમાં ભારત પણ આમ જ કરી રહ્યું છે.’ બ્લૂમબર્ગના રિપોર્ટમાં લખાયું છે કે, ‘રશિયાનું ખનિજ તેલ હજુ પણ ભારતની મદદથી યુરોપને તાકાત પૂરી પાડી રહ્યું છે.’

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow