રાજકોટમાં રખડતા ઢોર છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવા દરખાસ્ત

રાજકોટમાં રખડતા ઢોર છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવા દરખાસ્ત

રાજકોટ મનપા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનાર છે. જેમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. આ સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્ત મુજબ રખડતા ઢોર પકડાયા બાદ તેને છોડાવવા માટેનો દંડ ત્રણગણો કરવામાં આવશે. તેમજ ઢોરની પરમીટ લેવી ફરજિયાત કરાશે. જેમાં ધંધાદારી લોકો માટે લાયસન્સ ફી અને વ્યક્તિગત માલિક માટે પણ અલગ ફી નિર્ધારીત કરવામાં આવી છે. દરખાસ્ત મંજુર થાય તો અમુક વિસ્તારો રખડતા ઢોરનાં ત્રાસથી મહદઅંશે મુક્ત થશે. શહેરમાં અન્ય મહાનગરોની જેમ ‘નો-કેટલ ઝોન’ બનાવવામાં આવશે. એટલે કે સરકારની પરવાનગીથી મહાપાલિકા જે વિસ્તારને નો-કેટલ ઝોનમાં મુકે તે વિસ્તારમાં ઢોર રાખવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત પણ વોર્ડ નં.3માં નવો ગાર્ડન, પાઇપ વિભાગ માટે નવા સાધનો ખરીદવા, જુના વાહનોના ભંગારમાં વેંચાણ, આંગણવાડી, પેવિંગ બ્લોક, મેટલીંગ સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow