બેલારુસના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા

બેલારુસના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા

પુતિન અને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ વેગનર આર્મી વિદ્રોહ પછી રવિવારે તેમની પ્રથમ બેઠક યોજી હતી. આ દરમિયાન બંને નેતાઓએ વેગનર ચીફ પ્રિગોગિન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. રશિયાની સત્તાવાર મીડિયા એજન્સી તાસ દ્વારા બંનેની મુલાકાતનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં પુતિન બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને યુક્રેન હુમલા વિશે જણાવી રહ્યા છે. પુતિન કહે છે- અમે યુક્રેનના જવાબી હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ કરી દીધા છે. લુકાશેન્કોએ મજાકના સ્વરમાં કહ્યું કે ખરા અર્થમાં યુક્રેન રશિયાના હુમલાનો સામનો કરી શકે તેમ નથી. તેના પર પુતિને કહ્યું- જવાબી હુમલો થયો હતો, પરંતુ રશિયાએ તેને નિષ્ફળ કર્યો.

રોયટર્સે એક ટેલિગ્રામ ચેનલને ટાંકીને કહ્યું છે કે આ મીટિંગ દરમિયાન લુકાશેન્કોએ પુતિનને કહ્યું કે બેલારુસ વેગનર આર્મી લડવૈયાઓથી પરેશાન છે. તેઓ પશ્ચિમી દેશો તરફ જવા માગે છે.

તે જ સમયે, પુતિને કહ્યું છે કે તેઓ લુકાશેન્કો સાથે સુરક્ષા પર ચર્ચા કરશે. આ માટે તેમણે પોતાના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. સ્વાભાવિક છે કે લુકાશેન્કો અને પુતિન વચ્ચેની આ મુલાકાત મહત્વપૂર્ણ છે. વેગનરના બળવા પછી, બેલારુસના રાષ્ટ્રપતિએ પ્રિગોઝિન અને પુતિન વચ્ચે કરાર કર્યો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow