આતંકને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતાથી સ્થિતિ વણસી શકે

આતંકને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતાથી સ્થિતિ વણસી શકે

નાદાર થઇ રહેલા પાકિસ્તાનના લોકો પર મોંઘવારીની સાથે સાથે ત્રાસવાદનો બેવડો માર પડી રહ્યો છે. અમેરિકાના બ્યૂરો ઓફ કાઉન્ટરટેરેરિઝમના અહેવાલમાં દાવો કરાયો છે કે ત્રાસવાદને લઇને પાકિસ્તાનનું વલણ કઠોર હોવાના બદલે અસ્પષ્ટ થઇ રહ્યું છે. આતંકની સામે તેનું વલણ હળવું રહ્યું છે. પાકિસ્તાને નામપૂરતા દેખાવા માટે આતંકીઓની સામે ધીમી ગતિથી કાર્યવાહી કરી છે. તેના તરફથી ચલાવાઇ રહેલા અભિયાનની ગતિ સંતોષજનક નથી. આના કારણે વર્ષ 2020ની સરખામણીમાં 2021માં સામૂહિક હત્યાઓ અને આતંકી ઘટનાઓમાં વધારો થયો છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં આજે હક્કાની નેટવર્ક, લશ્કર અને જૈશ-એ- મોહમ્મદ, તહરિકે -એ- તાલિબાન પાકિસ્તાન, બલુચિસ્તાન લિબરેશન આર્મી, અને આઇએસઆઇએસ જેવાં ખતરનાક સંગઠન પાકિસ્તાનમાં નેટવર્ક ધરાવે છે. રિપોર્ટ મુજબ આ આતંકી સંગઠનો સતત પાકિસ્તાનના લોકોને જ ટાર્ગેટ બનાવીને તેમની સામૂહિક હત્યાઓ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં જૈશના સંસ્થાપક મસૂદ અઝહર સામે દેખાવા પૂરતાં પગલાં લીધાં છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow