પંચમહાભૂતમાં વિલીન થયા ધીરજ કુમાર

પંચમહાભૂતમાં વિલીન થયા ધીરજ કુમાર

પીઢ એક્ટર, નિર્માતા અને ડિરેક્ટર ધીરજ કુમારનું 15 જુલાઈના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું હતું. ન્યુમોનિયાથી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ તેમને સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આજે સવારે તેમના પાર્થિવ શરીરને હોસ્પિટલથી અંધેરી વેસ્ટ સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યું હતું, જ્યાં રઝા મુરાદ, અસિત મોદી, અશોક પંડિત, ટીના ઘાઈ, દીપક કાઝીર સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે અંતિમ દર્શન કર્યા.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના નિર્માતા આસિત મોદી પણ અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ધીરજ કુમારના નિધનને મોટું નુકસાન ગણાવ્યું. નિર્માતાએ કહ્યું કે- ધીરજ કુમારના નિધનથી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. હું ખૂબ જ આઘાતમાં છું કારણ કે હું તેમને એક અઠવાડિયા પહેલા જ મળ્યો હતો.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow