પંચાયતના 'દામાદ જી'ને આવ્યો હાર્ટ એટેક!

પંચાયતના 'દામાદ જી'ને આવ્યો હાર્ટ એટેક!

ફેમસ વેબ સિરીઝ 'પંચાયત'માં 'દામાદ જી'ની ભૂમિકા ભજવનારા એક્ટર આસિફ ખાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક્ટરને સોમવારે હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સદનસીબે, તેમની હાલત હવે સ્થિર થઈ રહી છે અને ટૂંક સમયમાં રજા આપવામાં આવી શકે છે.

આસિફની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ આસિફની તબિયત સ્થિર થયા બાદ તેમણે તેમના ફેન્સ માટે એક પોસ્ટમાં શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે- "છેલ્લા 36 કલાકમાં સમજાયું કે જીવન કેટલું નાનું છે, એક ક્ષણમાં કંઈપણ બદલાઈ શકે છે. દરેક દિવસ માટે આભારી બનો અને હંમેશા તમારા પ્રિયજનોની કદર કરો. જીવન એક બેસ્ટ ગિફ્ટ છે."

આસિફે બીજી એક પોસ્ટ પણ કરી છે અને તે દિવસ વિશે જણાવ્યું છે જ્યારે તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે લખ્યું કે- "મને થોડા કલાકોથી તકલીફ થઈ રહી હતી, જેના કારણે મને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હતી. હવે હું સ્વસ્થ થઈ રહ્યો છું અને સારું અનુભવી રહ્યો છું." આસિફે તેના બધા ફેન્સના પ્રેમ બદલ આભાર માન્યો. અંતે લખ્યું કે, "હું ટૂંક સમયમાં પાછો આવીશ. ત્યાં સુધી, મને તમારા વિચારોમાં રાખવા બદલ આભાર." આસિફે તેની પોસ્ટમાં જણાવ્યું નથી કે તેને શું થયું, તેને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યો, પરંતુ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow