પીએમ શાહબાઝ સરકાર બચાવવામાં વ્યસ્ત

પીએમ શાહબાઝ સરકાર બચાવવામાં વ્યસ્ત

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની કોર્ટથી મુક્તિ બાદ જવાબી કાર્યવાહીનાં સંબંધમાં શરીફ બંધુઓમાં વિવાદ સામે આવ્યો છે. પૂર્વ પીએમ નવાઝ શરીફ લંડનથી રિમોટ મારફતે સરકારને નિર્દેશો આપી રહ્યા છે. ઇમરાન મામલામાં પાકિસ્તાન મુસ્લિમ લીગ : નવાઝ (પીએમએલ-એન) વડા નવાઝ ઇચ્છતા હતા કે, વધુ કઠોર કાર્યવાહી કરવામાં આવે. વિરોધને શાંત કરવા માટે ઇમરજન્સીની પણ તરફેણમાં હતા. જ્યારે તેમના ભાઇ અને વડાપ્રધાન શાહબાઝ શરીફ આના બદલે સાથી પક્ષ પીપીપીને સાથે લઇને સરકારને બચાવી લેવાનાં મુડમાં દેખઇ રહ્યા છે.

નવમી મેનાં દિવસે ઇમરાનની ધરપકડ અને ત્યારબાદ મુક્તિ બાદ પીએમએલ-એનની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો. એ સમયમાં લંડનમાં શાહબાઝ અને નવાઝ સાથે હતા. નવાઝે એ વખતે ઇમરાનનાં વિરોધને કઠોર પગલા મારફતે શાંત ન કરવા બદલ શાહબાઝને ફટકાર લગાવી હતી. રાજકીય નિષ્ણાંત ફહદ શાહબાઝે કહ્યું છે કે, મુલાકાતમાં નવાઝે એક વખત નહીં પરંતુ અનેક વખત શાહબાજને ફટકાર લગાવી હતી. નવાઝે શાહબાઝને ઇમરજન્સી કેમ લાગુ કરવામાં આવી નથી, તમને કઇ વાતનો ભય છે ? તેવા સવાલ કર્યા હતા. શાહબાજનું માનવુ હતું કે, ઇમરજન્સીનો સમય નથી. સરકારને બચાવી રાખવા પીપીપીની સાથે રહીને તેમની વાત માનવાની જરૂર છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow