16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાની ઉપર રહ્યું

16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાની ઉપર રહ્યું

આજે એટલે કે 28 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ એક વર્ષથી વધુ સમયથી સ્થિર છે.

16 રાજ્યોમાં પેટ્રોલ 100થી ઉપર
દેશના 16 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરની ઉપર છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, તેલંગાણા, પંજાબ, ઝારખંડ, સિક્કિમ, ઓડિશા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 100 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યું છે. જ્યારે ઓડિશા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડીઝલ પણ 100 રૂપિયાની ઉપર છે.

રાજસ્થાનમાં સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ
ભારતમાં સૌથી મોંઘુ ઈંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યું છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 113.30 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 109.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.66 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. જ્યારે પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. અહીં પેટ્રોલનો ભાવ રૂ.84.10 પ્રતિ લીટર અને ડીઝલ રૂ.79.74 પ્રતિ લીટર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ 21 મે, 2022થી સ્થિર છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 21 મે, 2022ના રોજ થયો હતો. ત્યારબાદ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 9.5 રૂપિયા અને 7 રૂપિયાનો ઘટાડો થયો છે. જુલાઈ 2022માં મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 5 અને 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow