સિરક્રીક-હરામી નાલામાં ‌BSF માટે કાયમી બંકરો બની રહ્યાં છે

સિરક્રીક-હરામી નાલામાં ‌BSF માટે કાયમી બંકરો બની રહ્યાં છે

પ્રથમ વખત ભારતે ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સિરક્રીક અને હરામી નાલા ખાતે બીએસએફના જવાનો માટે કાયમી બંકરો બનાવવાની શરૂઆત કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ભુજ સેક્ટરમાં આ વિસ્તારમાં આઠ માળનાં બંકર કમ ઓબ્ઝર્વેશન પોસ્ટનાં નિર્માણ માટે 50 કરોડના ફંડને મંજૂરી આપી છે. પાકિસ્તાની માછીમારોની સતત ઘૂસણખોરીને રોકવા માટે ભારત સરકાર દ્વારા આ બંકરો બનાવવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારમાં વારંવાર ફિશિંગ બોટ પણ ઘૂસી જાય છે.

સત્તાવાર આંકડા મુજબ સરહદ સુરક્ષાદળ (બીએસએફ) દ્વારા 2022માં 22 પાકિસ્તાની માછીમારોને પકડી પાડ્યા છે, સાથે 79 ફિશિંગ બોટ કબજે કરાઇ છે. ઉપરાંત 250 કરોડની કિંમતનો હેરોઇનનો જથ્થો અને 2.49 કરોડની કિંમતનો ચરસનો જથ્થો પણ ગુજરાતના આ પ્રદેશમાંથી બીએસએફ દ્વારા કબજે કરાયો છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (સીપીડબલ્યુડી) દ્વારા આ બંકરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 4050 સ્કવેર કિમીના સિરક્રીકને ખૂબ જ સંવેદનશીલ તરીકે ગણવામાં આવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow