PCB vs ઈમરાન ખાન વીડિયો કોન્ટ્રોવર્સી

PCB vs ઈમરાન ખાન વીડિયો કોન્ટ્રોવર્સી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પાકિસ્તાનના 77માં સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ) પર સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક વીડિયોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનો સમાવેશ કર્યો છે.

હકીકતમાં PCBએ 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ પર ક્રિકેટનો ઈતિહાસ દર્શાવતો વીડિયો જાહેર કર્યો હતો. ઈમરાન ખાન આ વીડિયોમાં સામેલ નહતા. જ્યારે પાકિસ્તાને 1992માં ઈમરાનની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ જીત્યો હતો.

વીડિયો જાહેર થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ટીકા થઈ હતી. વસીમ અકરમ સહિત અનેક પૂર્વ ક્રિકેટરોએ PCBની ટીકા કરી હતી. હવે PCBએ પોતાની ભૂલ સુધારી છે અને વીડિયોમાં ઈમરાન ખાનનો સમાવેશ કર્યો છે. PCBએ પણ ઈમરાન ખાનને સામેલ ન કરવા અંગે પોતાની સ્પષ્ટતા આપી અને કહ્યું કે વીડિયોની સાઈઝ મોટી થઈ રહી હોવાને કારણે કારણે તેને સામેલ કરવામાં આવ્યા નથી.

વીડિયોમાં પાકિસ્તાનના ઘણા ક્રિકેટ દિગ્ગજો સામેલ છે
બે મિનિટ-21-સેકન્ડનો વીડિયો, 14 ઑગસ્ટના રોજ રિલીઝ થયો હતો, જેમાં 1952માં પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણથી લઈને 1992માં વર્લ્ડ કપ જીતથી લઈને 2022ના T20 વર્લ્ડ કપની ફાઈનલ સુધીની વાર્તા દર્શાવવામાં આવી છે. 2022 T20 વર્લ્ડ કપમાં બાબર આઝમની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- 'ઈતિહાસ બનાવવો એ માત્ર એક દિવસની રમત નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ - એક વારસો જે સમયની સાથે પડઘો પાડે છે.'

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow