અમેરિકનોને દેશભક્તિ

અમેરિકનોને દેશભક્તિ

25 વર્ષમાં અમેરિકનોની વિચારવાની રીતમાં ઝડપથી ફેરફાર થયો છે. એક રિસર્ચ અનુસાર અમેરિકનો ધર્મ, દેશભક્તિ અને બાળકો પેદા કરવા જેવાં પરંપરાગત મૂલ્યોને ઓછું પ્રાધાન્ય આપે છે. દરમિયાન પૈસાને પ્રાથમિકતા આપતા લોકોનો ગુણોત્તર 1998 બાદ વધ્યો છે. શિકાગો યુનિવર્સિટીમાં વૉલ સ્ટ્રીટ જર્નલ અને એનઓઆરસી દ્વારા કરાયેલા સરવેમાં 1 માર્ચથી 13 માર્ચની વચ્ચે કુલ 1019 લોકોએ ભાગ લીધો હતો.

સરવે અનુસાર હવે માત્ર 38% લોકો માટે દેશભક્તિ મહત્ત્વની છે. 1998માં આ આંકડો 70% હતો. આ જ સમય દરમિયાન માત્ર 39% લોકો જ ધર્મને મહત્ત્વ આપે છે. જ્યારે 1998માં ધર્મને જરૂરી માનતા લોકોની સંખ્યા 62% હતી. તદુપરાંત જીવનમાં સંતાન હોવાને જરૂરી માનતા લોકોની સંખ્યા પણ 25 વર્ષમાં 59%થી ઘટીને 30% થઇ ચૂકી છે. રિપોર્ટ બનાવનારા પોલ્સ્ટર બિલ મેકિનટર્ફનું માનવું છે કે આ ફેરફાર ઝડપી છે.

પૈસાને પ્રાધાન્ય આપતા લોકોની સંખ્યા 12 ટકા વધી
25 વર્ષ પહેલાં 1998માં પૈસાને મહત્ત્વ આપનારા 31% હતા જે 2023માં વધીને 43% થયા છે. જ્યારે પૈસાને પ્રાથમિકતા આપતા 1 ટકા અમેરિકનોના મતે યુએસનું અર્થતંત્ર ઉત્કૃષ્ટ સ્થિતિમાં છે. જ્યારે 5માંથી 4 લોકોને લાગે છે કે અર્થતંત્ર ખરાબ અથવા તો વધુ સારી સ્થિતિમાં નથી. જ્યારે સમાજમાં એકબીજા સાથે ભાગીદારી હોય એવું માનનારાની ટકાવારી 27% છે. અગાઉ 1998માં સમાજમાં 43% લોકો ભાગીદારીને મહત્ત્વ આપતા હતા.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow