સુરતના માફિયાએ મંગાવેલો 57 લાખનો 573 કિલો ગાંજો ભરી પાટણ જતી ટ્રક ઉચ્છલથી ઝડપી પડાઇ

સુરતના માફિયાએ મંગાવેલો 57 લાખનો 573 કિલો ગાંજો ભરી પાટણ જતી ટ્રક ઉચ્છલથી ઝડપી પડાઇ

તાપી જિલ્લાની સરહદે આવેલા ઉચ્છલ તાલુકાના હાઇવે પરના બેડકી નાકા પાસેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને તાપી જિલ્લા એસઓજી સ્ટાફે બાતમીના આધારે એક ટ્રક અટકાવી તેમાંથી 573 કિલો જેટલો ગાંજાનો જથ્થા સાથે ત્રણ આરોપીને પકડી પાડયા હતા. આ ગાંજો ઓરિસ્સા રાજ્યમાંથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતના પાટણ લઈ જવામાં આવતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા નજીકથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પર મહારાષ્ટ્ર નવાપુર તરફથી આવતી એક ટ્રકમાં ગાંજાનો જથ્થો ભરેલો છે.

ટ્રક અટકાવી તેમાંથી 573 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો
અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ અંગે ઉચ્ચ અધિકારી રેન્જ આઈજી પિયુષ પટેલ, સુરત શહેર પોલીસ કમિશનર અજય સિંહ તોમર અને તાપી એસ.પી. રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી એસઓજી ના જવાનો બેડકી નાકા પાસે ગોઠવાયા હતાં. રવિવારે મોડી સાંજે બાતમી મૂજબની ટ્રક નંબર PB-02-BN-9566 નજરે પડતાં પોલીસ સ્ટાફે તેને કૉર્ડન કરી રોકી હતી. આ ટ્રકમાંથી ડ્રાઈવર સહિત ત્રણ લોકો મળી આવ્યાં હતાં, અને ટ્રકની કેબિનમાં તપાસ કરતાં જુદા જુદા ખાના અને સ્થળેથી લંબચોરસ ભૂરા કલરની કોથળી અને પેપર માં લપેટેલા ડાળી, ડાળખાં અને બી સાથેના ગાંજાના 64 જેટલાં પાર્સલ મળી આવ્યાં હતાં.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow