પારિવારિક બચત ચાલુ વર્ષે 19 ટકા ઘટી

પારિવારિક બચત ચાલુ વર્ષે 19 ટકા ઘટી

વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારી અને આર્થિક સંકટના કારણે દેશમાં પારિવારિક બચતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત કોરોના મહામારી બાદ સ્થિતિ સામાન્ય થવાને કારણે અચાનક અટકેલી માંગને કારણે વધતી જતી મોંઘવારીની અસર પરિવારની બચત પર પડી છે.

નાણાકીય વર્ષ 2021-22માં કૌટુંબિક બચતમાં 19%નો ઘટાડો થયો જ્યારે 2020-21માં તે 31.3 ટકા વધી હતી. કોવિડ રોગચાળાની તુલનામાં પાછલા બે વર્ષમાં કુટુંબની બચત માત્ર 6.3% વધી છે. દરમિયાન બેંક ડિપોઝિટમાં ઘટાડો થયો છે પરંતુ ઇક્વિટી જેવી સંપત્તિઓના રોકાણમાં ઝડપી વધારો થયો છે.

બેંક ઓફ બરોડાના રિસર્ચ એનાલિસ્ટ અદિતિ ગુપ્તાના જણાવ્યા અનુસાર 2020-21માં ફેમિલી સેવિંગ્સમાં વધારો થવાનું સૌથી મોટું કારણ લોકડાઉનના કારણે થોડા મહિનાઓ માટે સુસ્ત વપરાશ હતો. જેના કારણે લોકોની આવકમાં બચતનો હિસ્સો વધ્યો છે. પરંતુ ગત નાણાકીય વર્ષમાં પારિવારિક બચતમાં થયેલો ઘટાડો પણ કાયમી નથી. ટ્રેડિંગ ઇકોનોમિક્સ અનુસાર આ વર્ષે વ્યક્તિગત બચત વધીને28468 પહોંચી છે.

બચતમાં બેન્ક ડિપોઝિટનો હિસ્સો ગત વર્ષ કરતા 9 ટકા ઘટ્યો

રસપ્રદ વાત એ છે કે 2021-22 દરમિયાન કુલ કુટુંબ બચતમાં ડિપોઝીટ્સનો હિસ્સો ઘટીને 27.2% થયો હતો. આ 2020-21ની સ્થિતિ કરતાં લગભગ 9% ઓછું છે. તેનું સૌથી મોટું કારણ વ્યાજના રૂપમાં ઓછી કમાણી છે. FDમાં વ્યાજ ઓછુ મળી રહ્યું હોવાની અસર છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow