ઈન્ડિગોના ક્રૂ મેમ્બરો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

ઈન્ડિગોના ક્રૂ મેમ્બરો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

છેલ્લા ત્રણ મહિનામાં ઈન્ડિગો એરલાઈન્સના વિમાનોની ત્રણ ટેઇલ સ્ટ્રાઈકની ઘટનાઓ બની છે. જે બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ક્રૂ મેમ્બરો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એક ટેઇલ સ્ટ્રાઈક 2 ફેબ્રુઆરીએ અને બે 14 એપ્રિલે થઈ હતી. ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તપાસના પરિણામના આધારે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસોમાં સામેલ ક્રૂ મેમ્બર્સને ઓફ-રોસ્ટર કરવામાં આવ્યા છે, એટલે કે, તેમને કામ કરતા અટકાવવામાં આવ્યા છે અને ફ્લાઈંગ ડ્યુટી માટે રિલીઝ પહેલા તપાસના પરિણામોના આધારે કરેક્ટિવ ટ્રેનિંગ માટે કહેવામાં આવ્યું છે. આ તાલીમ બાદ જ ક્રૂ મેમ્બર્સ કામ પર પરત ફરી શકશે.

વધુમાં, કેસના તથ્યોના આધારે, એરલાઇનના ટેક-ઓફ અને લેન્ડિંગની મંજૂરી પાછી ખેંચી લેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે એપ્રૂવ્ડ મેન્ટેનન્સ પ્રોસીઝર હેઠળ જરૂરી મેન્ટેનન્સ એક્શન પછી ઘટનામાં સામેલ એરક્રાફ્ટને રિલીઝ કરવામાં આવશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow