અમેરિકામાં સામાન્ય લોકોના હથિયાર વચેટિયા બનવા પર રોક નથી

અમેરિકામાં સામાન્ય લોકોના હથિયાર વચેટિયા બનવા પર રોક નથી

ગન કલ્ચર અને શૂટિંગના વધતા દૂષણથી પરેશાન અમેરિકામાં હથિયારોના ધંધામાં હવે સામાન્ય લોકો પણ સામેલ થઇ રહ્યા છે. આ ધંધામાં ડૉક્ટરથી લઇને ડ્રાઇવરો પણ જોડાયા છે. જેઓ બીજા દેશોની સરકાર સાથે હથિયારોની ડીલ કરાવવા માટે વચેટિયાની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેનું જ પરિણામ છે કે રશિયાના હુમલાઓ વચ્ચે યુક્રેનને આ વચેટિયાઓથી 3 કરોડ ડોલર (અંદાજે 246 કરોડ રૂ.)ના રોકેટ, ગ્રેનેડ અને અન્ય હથિયારો મળ્યાં હતાં.

કેટલાક સમય પહેલાં સેન્ટ લુઇસ શહેરમાં લિમોસિન કંપનીમાં ડ્રાઇવરની નોકરી ગુમાવનાર માર્ટિ જ્લાતેવને નવી નોકરીની જરૂર હતી. ત્યારે તેને આર્મ્સ એજન્ટ તરીકે મોટી તક મળી. આ કારોબારમાં જ્લાતેવને ઓર્થોપેડિક ડૉક્ટર હીથર જોર્જજીવસ્કીકાનો સહયોગ મળ્યો. ન્યૂયોર્ક ટાઇમ્સને મળેલા દસ્તાવેજો અને અન્ય રેકોર્ડ અનુસાર આ પ્રકારના વચેટિયાઓ મારફતે સાત દેશ સુધી આર્મ્સ ડીલ થઇ ચૂકી છે.

અમેરિકામાં નિયમ છે કે બિનવ્યૂહાત્મક હથિયારોની ડીલમાં સામાન્ય લોકો પણ એજન્ટ બનીને હથિયારોની નિકાસ કરી શકે છે. યુક્રેનના રક્ષા મંત્રાલય અનુસાર યુક્રેનને અમેરિકા, બલ્ગેરિયા અને બોસ્નિયા તરફથી હથિયારના વેચાણનો પ્રસ્તાવ મળ્યો હતો. બાઇડેન વહીવટીતંત્રને જાણ થઇ કે આ નાણાકીય વર્ષના ચાર મહિનામાં ખાનગી એજન્ટોએ યુક્રેનને 3 કરોડ ડોલરનાં હથિયારો વેચ્યાં હતાં. ગત નાણાકીય વર્ષમાં 1.5 કરોડ ડૉલર (123 કરોડ રૂપિયા)ના હથિયારનું વેચાણ કરાયું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow