રાજકોટમાં માત્ર 3% લોકો સિટીબસમાં મુસાફરી કરે છે

રાજકોટમાં માત્ર 3% લોકો સિટીબસમાં મુસાફરી કરે છે

આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા છે ટ્રાફિકની સમસ્યા. રંગીલું રાજકોટ પણ આ સમસ્યામાંથી બાકાત નથી. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે લોકો અન્ય વિકલ્પો વિશે વિચારે તે સ્વભાવિક છે અને તેમાં સૌથી પહેલો વિકલ્પ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વિચારે તેમાં બેમત નથી, પરંતુ રાજકોટ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા જરૂરિયાતના પ્રમાણમાં માત્ર 5 ટકા જ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે અને તેના પરિણામે દરરોજ માત્ર ત્રણ ટકા લોકો જ આ સુવિધાનો લાભ લઇ શકે છે. જો કે એ પણ હકીકત છે કે, રંગીલા રાજકોટના લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો લાભ લેવામાં પણ નિરસ છે.

મુંબઇ જેવા મેટ્રો શહેરમાં 52 ટકા મુસાફરો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. અમદાવાદ જેવા શહેરમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા નાગરિકોની સંખ્યા 12 ટકા કરતા વધુ છે. જ્યારે રાજકોટ શહેરમાં આ સંખ્યા માત્ર ત્રણ ટકા જેટલી જૂજ છે. જેના માટે નાગરિકો મુસાફરી માટે તૈયાર ન હોવાનો તંત્ર દાવો કરે છે જે સદંતર ખોટો છે. હકીકત એ છે કે, રાજકોટ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની જે સુવિધા હોવી જોઇએ તે તદ્દન પાંખી છે. સામાન્ય રીતે 1000ની વસતીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે 1 બસની સુવિધા હોવી જોઇએ.

Read more

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના જામીન મંજૂર

રાજકોટમાં ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટનાના દોઢ વર્ષમાં જ તમામ 15 આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. ટીઆરપી ગે

By Gujaratnow
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિ

By Gujaratnow
દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

દાંતામાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વાણી વિલાસ

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડી

By Gujaratnow