એશિયાની માત્ર 2 ટીમ ટાઈટલની રેસમાં આગળ

એશિયાની માત્ર 2 ટીમ ટાઈટલની રેસમાં આગળ

આઠમાં ટી-20 વર્લ્ડ કપનો 16મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં 16 ટીમો રમશે. 16 થી 21 ઓક્ટોબરે 8 ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાશે, જેમાંથી 4 ટીમ સુપર-12 રાઉન્ટમાં પહોંચશે. મોટી ટીમો તે રાઉન્ડમાં પહેલા જ પહોંચી ચૂકી છે. ગ્રૂપ-1ને ડેથ ગ્રૂપ મનાય છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સાથે, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન છે. ગ્રૂપ-2માં ભારત, પાકિસ્તાન, દ.આફ્રિકા, બાંગ્લાદેશ છે. ગત વર્લ્ડ કરતા સમીકરણો ઘણા બદલાયા છે, કારણ કે- હવે યુએઈની જેમ ધીમી પિચો પર વર્લ્ડ કપ નથી રમાવવાનો. ઓસ્ટ્રેલિયાની પેસ અને બાઉન્સવાળી પિચો ઘણી અલગ રહેશે.

ગત વર્ષે પ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમ આ વખતે પણ જીતની પ્રબળ દાવેદાર છે. ટી-20 રેન્કિંગમાં ભલે ટીમ ટોપ-5માં પણ નથી, પરંતુ શાનદાર બોલિંદ અટેકને કારણે ટીમને ઘરઆંગણે રમવાનો સંપૂર્ણ ફાયદો મળશે. ટીમે આ વર્ષે 15 માંથી 9 ટી-20 મેચ જીતી છે, જ્યારે 5 હારી છે. હાલમાં વિન્ડીઝને ઘરઆંગણે 2-0થી હરાવ્યું. આ ઉપરાંત ટોચના ખેલાડીઓ વિના ભારતને તેના ઘરઆંગણે ટક્કર આપી. ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે 5 માંથી 4 સીરિઝ પર કબ્જો કર્યો છે.

ઈંગ્લેન્ડ ટીમ 2010 બાદ ટી-20 વર્લ્ડ કપ ટાઈટલ જીતી શકી નથી. રેન્કિંગમાં બીજા ક્રમે છે. ગતવર્ષે સેમિફાઈનલમાં બહાર થનારી ટીમ પાસે બટલર તરીકે આ વખતે નવો કેપ્ટન છે. પોતાના અંતિમ વન-ડે વર્લ્ડ કપમાં ટીમને ચેમ્પિયન બનાવનાર સ્ટોક્સ ટીમમાં પરત ફર્યો છે. હાલમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને તેના ઘરઆંગણે 4-3થી હરાવ્યું હતું. આ સાથે પર્થમાં જીત હાંસલ કરી ઓસ્ટ્રેલિયામાં ટી-20 જીતનો 11 વર્ષનો દુકાળનો અંત કર્યો, જે પછીટાઈટલ જીતવાની દાવેદારી વધુ મજબૂત થઈ રહી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow