રાજકોટમાં વન વીક વન રોડ ઝુંબેશ

રાજકોટમાં વન વીક વન રોડ ઝુંબેશ

રાજકોટ મહાનગરપાલિકાએ વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં. 5માં આડા પેડક રોડ વિસ્તારમાં વિવિધ શાખાએ ઝુંબેશ હાથ ધરી હતી. આ પૈકી ટી.પી. શાખાએ 23 સ્થળેથી પતરાં, છાપરાં અને ઓટલાના દબાણ દૂર કર્યા હતા. આ ઉપરાંત પાર્કિંગની જગ્યામાં આડશ તરીકે કરાયેલા દબાણો દૂર કરીને 1850 ચોરસ ફૂટ જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરાઈ હતી. જોગાનુજોગ ગત વર્ષે આ જ સમયે આ જ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી હતી અને તેમાં પણ દબાણ દૂર કરાયાના દાવા કરાયા હતા પણ એક જ વર્ષમાં ફરી દબાણો ખડકાયા છે.

રાજકોટ મહાનગરપાલિકાએ 21 મે 2022 વન વીક વન રોડ અંતર્ગત આડા પેડક રોડ પર કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે 64 સ્થળેથી છાપરાં અને ઓટલા દૂર કરાયા હતા. આ ઉપરાંત 2300 ચોરસ ફૂટ જેટલી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. એક વર્ષ બાદ 23મીએ ફરી ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ છે અને 23 સ્થળે છાપરાં-ઓટલા દૂર કરીને પાર્કિંગની 1850 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ છે.

એક જ વર્ષના દબાણમાં છાપરાં-ઓટલા ફરી બનવા લાગ્યા હતા અને પાર્કિંગની જગ્યાઓ તો બંધ જ કરી દેવાઈ છે. આ સાબિત કરે છે કે મનપા ગમે તેટલી કાર્યવાહી કરે તો પણ દબાણ ફરી ફરી થયા કરે છે. કાયમી ઉકેલ મનપાને મળતો જ નથી. દબાણને કારણે ફક્ત ફૂટપાથ દબાય છે તેટલું જ નથી પણ રોડ પર ટ્રાફિક અને ગંદકીના પ્રશ્નો પણ વધતા જાય છે. દબાણનો યોગ્ય ઉકેલ મળશે તો જ શહેરમાં સફાઈ અને ટ્રાફિકનો ઉકેલ પર મળી રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow