ટંકારાના ઘૂ નડા ખાનપરથી રોહીશાળા જવાના માર્ગે તોતિંગ લીમડો ધરાશાયી

ટંકારાના ઘૂ નડા ખાનપરથી રોહીશાળા જવાના માર્ગે તોતિંગ લીમડો ધરાશાયી

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે જસદણ તાલુકાના ભાડલા-દહીંસરા રોડ પર પવનના સુસવાટા વચ્ચે અચાનક પીપરનું ઘટાટોપ વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે આ વૃક્ષ ધરાશાયી થવાના લીધે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આ ઘટાટોપ વૃક્ષ ભાડલા-દહીંસરા મુખ્ય રોડ પર પડતા કલાકો સુધી રસ્તો બંધ થઈ ગયો હતો.

આ ઘટનાના પગલે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી આરંભાઈ હતી. આ ઘટનાની જાણ થતા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, મહામંત્રી કલ્પેશભાઈ વાવડીયા, વનરાજભાઈ ખીંટ, ભાડલા પોલીસ સ્ટેશનના પીઆઈ, મામલતદાર તેમજ સ્થાનિક આગેવાનો ત્યાં દોડી આવ્યા હતા અને રોડની વચ્ચે પડેલા ઘટાટોપ વૃક્ષને કાપી ક્રેનની મદદથી હટાવ્યું હતું.

આપાતકાલીન પરિસ્થિતિ વચ્ચે જસદણ તાલુકાના કોઈપણ ગામમાં કપરા સમયે મદદની જરૂર હોય તો જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા 9898712136, અનિલભાઈ ખોખરીયા 8530000900, જીતેન્દ્રભાઈ કુવાડીયા 9924871619, સતીષભાઈ વસાણી 9909281781, કેયુરભાઈ શેખલીયા 9725690971 દ્વારા આ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. જ્યારે ટંકારા તાલુકાના ધુનડા ખાનપર ગામ થી રોહીશાળા ગામ ને જોડતા માર્ગ પર ભારે પવનથી તોતિંગ લીમડો રીતસર ઢળી પડ્યો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. જોકે, કોઈ રાહદારીએ લીમડાના થડ ના ટેકે ટેકવેલી સાયકલ વૃક્ષ નીચે દબાઈ જતા ભાંગી ગઈ હતી. વૃક્ષ પડતા સાયકલનો કડુસલો બોલી ગયો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow