રાજકોટમાં ચૂંટણી પરિણામને જ દિવસે વેલનાથપરામાં મનપાના શૌચાલયમાં દેશી દારૂના હાટડા ધમધમ્યા

રાજકોટમાં ચૂંટણી પરિણામને જ દિવસે વેલનાથપરામાં મનપાના શૌચાલયમાં દેશી દારૂના હાટડા ધમધમ્યા

ગુજરાતમાં દારૂબંધી છે તે જગજાહેર છે. છતાં સંસ્કારી નગરીની છાપ ધરાવતા રાજકોટમાં જાણે દારૂબંધીનો સદંતર અને સરાજાહેર ભંગ થતો હોવાની ઘટના સામે આવી રહી છે. હજુ શુક્રવારે ST બસના ડ્રાઈવરની દારૂ ભરેલી બેગ શહેરના પોષ વિસ્તાર એવા યાજ્ઞિક રોડ પર પડી અને લોકોએ પોલીસને જ જાણ કરવાની જગ્યાએ બેગમાંથી દારૂ લેવા પડાપડી કરી હતી. એ ઘટનાના 24 કલાક બાદ હાલ ચાર વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. જેમાં શહેરના વેલનાથ પરા વિસ્તારમાં ચૂંટણી પરિણામને જ દિવસે મનપાના શૌચાલયમાં દેશી દારૂનો હાટડા ધમધીમી રહ્યા હોવાનું ઉલ્લેખ કરવામાં આવે છે અને પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાધારીઓ કેટલાય ઘર બરબાદ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. હાલ આ ચારેય વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

મોરબી રોડ પર આવેલા વેલનાથપરા વિસ્તારમાં પ્રકાશ સોલંકી ઉર્ફે બાડો નામના શખ્સ દ્વારા દેશી દારૂનો વેપોલો ચલાવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આંવે છે. અને વીડિયોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતુ હોવાથી દારૂડિયાઓ શેરીમાં જ્યાં ત્યાં સૂઈ જાય છે લત્તાવાસીઓ આવા આવારાતત્વોથી ત્રાસી ગયા છે. કોઈપણને પૂછો તો કહે કે, દારૂ પ્રકાશ સોલંકીને ત્યાં મળી જશે. પરંતુ પોલીસ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. તેવું પણ જણાવામાં આવ્યું છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow