લાલપુર પંથકના કાચા માર્ગ પર આંખમાં મરચાની ભુકી છાંટી લૂંટને અંજામ

લાલપુર પંથકના કાચા માર્ગ પર આંખમાં મરચાની ભુકી છાંટી લૂંટને અંજામ

લાલપુર પંથકના રંગપર જતા કાચા માર્ગ પર મોડી સાંજે એક બિયારણના કમિશન એજન્ટ યુવાનને આંતરી બાઇકસવાર બેલડી આંખમાં મરચાની ભુકકી છાંટી રૂા. 20 લાખની રોકડની લૂંટ ચલાવી નાશી છુટયાનો બનાવ બહાર આવતા પોલીસ કાફલો દોડી ગયો છે. પ્રાથમિક તપાસમાં પોલીસે શંકાસ્પદ ગણાવી નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે. લાલપુરના રંગપુરમાં રહેતા અને બિયારણના કમિશન એજન્ટ તરીકે કામ કરતા આવેશ દોસ્તમામદ ખીરા નામનો યુવાન બપોરે ઘરેથી વેપારીઓને પૈસા ચુકવવા માટે રૂ. 20 લાખ રોકડા લઇ બાઇક પર નિકળ્યો હતો.

મરચાની ભુકી છાંટી લૂંટ કરી
જે બાઇક રંગપર નજીક કાચા માર્ગ પરથી પસાર થઇ રહયુ હતુ જે વેળાએ અચાનક ડબલસવારી બાઇકમાં ધસી આવેલી બે બેલડીએ બાઇકસવાર વેપારીની આંખામાં મરચાની ભુકી છાંટી દઇ રોકડ ભરેલો થેલો આંચકી લીઘો હતો અને ક્ષણવારમાં બંને શખસો બાઇક પર નાશી છુટયા હતા. મરચાની ભુકી છાંટતા ફસડાઇ પડેલા યુવાને પોલીસને જાણ કરતા તુરંત મેઘપર પોલીસ ઉપરાંત સ્થાનિક ગુના શોધક શાખા, સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ સહિતની વિવિધ પોલીસ ટીમો ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.

માતબર રોકડ રકમની લૂંટ
આ માતબર રકમની લૂંટની જાણ થતા જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ સ્થળ પર દોડી ગયા હતા.લૂંટારૂઓ કાનાલુસના માર્ગ તરફ નાશી છુટયા હોવાની કેફિયતના આધારે પોલીસે ત્વરીત તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.જયારે મોટી રકમની લૂંટના બનાવની જાણ થતા પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી લુંટારૂઓના સગડ મેળવવા માટે કવાયત શરૂ કરાઇ છે.જોકે,રાત્રી સુધી બંને લૂંટારૂના કોઇ સગડ ન મળ્યાનુ જાણવા મળ્યુ છે.બીજી બાજુ જામજોધપુર પંથક બાદ લાલપુર પંથકમાં પણ માતબર રોકડ રકમની લૂંટના આ બનાવે જિલ્લાભરમાં ભારે ચકચાર જગાવી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow