રાજકોટમાં 31 ડિસેમ્બરની રાતે 50થી વધુ નશાખોરોને પોલીસે પકડી પાડ્યા

રાજકોટમાં 31 ડિસેમ્બરની રાતે 50થી વધુ નશાખોરોને પોલીસે પકડી પાડ્યા

રૈયા રોડ પર ઓફિસમાં દારૂની મહેફિલ માણતા ચાર શખ્સને તેમજ દારૂ પીને ટહેલવા નીકળેલા 35થી વધુ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. તદઉપરાંત બે સ્થળેથી વિદેશી દારૂ સાથે બે શખ્સને પકડી પાડ્યા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

વાવડી વિસ્તારમાં આવેલા જીવરાજ એસ્ટેટ સામે કુળદેવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં કેટલાક યુવાનોએ દારૂની મહેફિલનું આયોજન કર્યાની પોલીસને માહિતી મળી હતી. માહિતી મુજબના સ્થળે પોલીસે દરોડો પાડતા દારૂની મહેફિલ માણી રહેલા ચાર યુવાનના હોશકોશ ઊડી ગયા હતા.

દારૂની મહેફિલ માણી રહેલા નિલેશ ચીમનલાલ કંટારિયા, કલ્પેશ બાબુ લાંબ, રાહુલ મોહન પાસવાન અને શશિ ઓકિલમંડળ તાતીને ઝડપી લીધા હતા. ઓફિસમાંથી વિદેશી દારૂ ઉપરાંત નાસ્તાના પડીકા તેમજ ત્રણ મોબાઇલ, એક બાઇક મળી કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા નિલેશ કંટારિયાએ તેની ઓફિસમાં દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. પોલીસે કાર્યવાહી કરી છે.

નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસને નશાખોરોને પકડવાની ડ્રાઇવ વચ્ચે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 50થી વધુ શખ્સને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લઇ તેમની સામે કાર્યવાહી કરી ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવ્યો હતો. તેમજ ભાવનગર રોડ, મયૂરનગર મફતિયાપરામાં રહેતા ધવલ ધીરેન પૂજારા નામનો શખ્સ તેના મકાનમાંથી વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે દરોડો પાડ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow