17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં આવવાથી શરૂ થશે સાડાસાતી, કર્ક અને વૃશ્ચિક પર શરૂ થશે ઢૈય્યા

17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં આવવાથી શરૂ થશે સાડાસાતી, કર્ક અને વૃશ્ચિક પર શરૂ થશે ઢૈય્યા

આ વર્ષે શનિ એક જ વાર રાશિ બદલશે અને 17 જાન્યુઆરીથી પોતાની જ રાશિ અર્થાત્ કુંભમાં રહેશે. જેનાથી ધન રાશિવાળાની સાડાસાતી સમાપ્ત થશે. મિથુન અને તુલા રાશિના લોકોને ઢૈય્યાથી રાહત મળશે. આ દરમિયાન આ ગ્રહ 140 દિવસ સુધી વક્રી અને 33 દિવસ અસ્ત રહેશે. શનિની ચાલમાં ફેફાર થવાથી તેની અસર દેશ-દુનિયા સહિત બધી રાશિના જાતકો પર પડશે.

મીન રાશિ પર શરૂ થશે સાડાસાતી

શનિ કુંભ રાશિમાં આવતાં જ મીન રાશિ પર સાડાસાતી શરૂ થઈ જશે અને ધન રાશિવાળાને તેનાથી રાહત મળશે. આ જ રીતે આખું વર્ષ મકર, કુંભ અને મીન રાશિવાળા લોકો પર શનિની સાડાસાતીની અસર રહેશે. જેમાં મકર રાશિવાળાને જોબ અને બિઝનેસમાં પ્રમોશન મળવાના યોગ બનશે. પરંતુ કુંભ અને મીન રાશિવાળા લોકો પરેશાન થઈ શકે છે. આ બંને રાશિના લોકોને કોઈ કારણસર ચોટ લાગી શકે છે. કામકાજમાં અણગમતા ફેરફાર થવાની પણ આશંકા છે.

કર્ક અને વૃશ્ચિક રાશિ પર રહેશે ઢૈય્યા

શનિના રાશિ પરિવર્તનથી મિથુન અને તુલા રાશિના લોકોને ઢૈય્યાથી રાહત મળશે અને આ રાશિના લોકોને ફાયદો થશે. પરંતુ કર્ક અને વૃશ્ચિક રાશિવાળા પર શનિની ઢૈય્યા શરૂ થઈ જશે. જેનાથી આ બે રાશિના લોકોને ટ્રાન્સફર થવા, નોકરી અને બિઝનેસમાં જવાબદારી બદલાવાના પણ યોગ બનશે. ભાગ-દોડી વધી શકે છે. વિવાદ થઈ શકે છે. કામમાં વધુ મહેનત કર્યા પછી જ સફળતા મળી શકશે. એટલા માટે આ રાશિના લોકોને સંભાળીને રહેવું પડશે.

દેશ-દુનિયા માટે કેવો રહેશે શનિ

શનિ કુંભ રાશિમાં આવવાથી દેશમાં કંસ્ટ્રક્શન વધશે. પશ્ચિમી દેશોમાં વિવાદ વધી શકે છે. નાણાકીય સ્થિતમાં સુધારો થશે. નીચલા વર્ગના લોકો માટે રોજગારની તકો ઊભી થશે. એવા લોકોને પદ અને અધિકાર પણ મળી શકે છે. જો કે પડોશી દેશો સાથે જોડાયેલ ભારતની સીમાઓ પર તણાવ અને વિવાદ ચાલતો રહેશે. શનિના પ્રભાવથી દેશમાં મોટા કાયદાકીય નિર્ણયો થઈ શકે છે. ગેરકાયદેસર કામ કરતા લોકોને સજા મળી શકે છે. લાંબા સમયથી મહેનત કરી રહેલાં લોકોને આ વર્ષે સફળતા મળવાની પૂરી સંભાવના છે.

અશુભ અસરથી બચવા માટે કરો હનુમાનજીની પૂજા

ગ્રંથોમાં જણાવ્યું છે કે શનિની અશુભ અસરને ઓછી કરવા માટે દર શનિવારે શનિદેવને તેલ ચઢાવવું જોઈએ. મંગળવારે હનુમાનજીની પૂજાથી પણ શનિદોષ ઓછો થાય છે. શનિવારે કાંસાની પ્લેટ કે વાટકીમાં તેલ ભરીને તેમાં પોતાનો ચહેરો જોઈને પછી શનિદેવને પ્રણામ કરીને તેલથી ભરેલ કાંસાનું વાસણ દાન કરી દો. સાથે જ કાળા તલ, કામળો, અડદ, લોખંડના વાસણ અને જૂતા-ચપ્પલનું દાન પણ કરી શકાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow