ઓફિસ સ્પેસ લીઝિંગ બેગણું વધીને 30.26 મિલિયન સ્ક્વેર ફૂટ

ઓફિસ સ્પેસ લીઝિંગ બેગણું વધીને 30.26 મિલિયન સ્ક્વેર ફૂટ

દેશમાં જાન્યુઆરી-સપ્ટેમ્બર 2022 દરમિયાન ટોચના સાત શહેરોમાં ઓફિસ સ્પેસ માટેની લીઝિંગ 2 ગણું વધીને 30.26 મિલિયન સ્ક્વેર ફૂટ નોંધાયું છે. પરંતુ તે વર્ષના બાકીના સમયમાં પ્રી-કોવિડના સ્તરે જોવા મળે તેવી શક્યતા નહીવત્ છે. JLL ઇન્ડિયા અનુસાર ગત વર્ષે કોવિડ-19 તેમજ લોકડાઉનને કારણે માંગ પર પ્રતિકૂળ અસર પડવાને કારણે નેટ લીઝિંગ 14.63 મિલિયન સ્ક્વેર ફૂટ રહ્યું હતું.

જો કે આ વર્ષે કોવિડ-19 મહામારી ખતમ થયા બાદ ફરીથી આર્થિક ગતિવિધિઓ ધમધમતા ઓફિસો ખુલતા તેમજ અર્થતંત્ર ફરીથી પાટે ચડતા વર્કસ્પેસની માંગમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો હતો. તેમ છતાં, નેટ ઓફિસ લીઝિંગ પ્રી-કોવિડના સ્તરે એટલે કે રેકોર્ડ 47.9 મિલિયન સ્ક્વેર ફૂટના સ્તરે પહોંચે તેવી શક્યતા ઓછી છે. JLL ઇન્ડિયા ડેટા અનુસાર, દેશમાં સૌથી વધુ ઓફિસ સ્પેસ બેંગ્લુરુમાં લીઝ પર અપાઇ હતી. બેંગ્લુરુમાં ગત વર્ષના 5.41 મિલિયન સ્ક્વેર ફૂટની તુલનાએ ચાલુ વર્ષે જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં 7.84 મિલિયન સ્ક્વેર ફૂટ જગ્યા લીઝ પર અપાઇ હતી. તેમાં વાર્ષિક 45 ટકાની વૃદ્વિ જોવા મળી છે.

ચેન્નાઇમાં પણ ઓફિસની માંગ 92 ટકા વધીને 2.28 મિલિયન સ્ક્વેર ફૂટ નોંધાઇ હતી જે અગાઉ 1.18 મિલિયન સ્ક્વેર ફૂટ હતી. દિલ્હી-NCRમાં ભાડે ઓફિસ આપવામાં 38 ટકાનો વધારો થયો હતો. ત્યારે 4.27 મિલિયન સ્ક્વેર ફૂટ ઓફિસ માટે જગ્યા લીઝ પર આપવામાં આવી હતી. હૈદરાબાદમાં પણ ઓફિસ લીઝ આપવાના ટ્રેન્ડમાં છ ગણો વધારો થયો હતો અને ત્યાં અગાઉના 1.15 મિલિયન સ્ક્વેર ફૂટની તુલનાએ 7.22 મિલિયન સ્ક્વેર ફૂટ જગ્યા લીઝ પર આપવામાં આવી હતી. કોલકાતામાં પણ લીઝિંગ વધીને 0.48 મિલિયન સ્ક્વેર ફૂટ થઇ હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow