નવી પરિણીત મહિલાઓ આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખી શકશે નહીં

નવી પરિણીત મહિલાઓ આ વર્ષે કરવા ચોથનું વ્રત રાખી શકશે નહીં

કરવા ચોથ 13 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. પરિણીતાઓનું આ પર્વ દ્વાપર યુગથી ચાલી રહ્યું છે. પરિણીતા મહિલાઓ પતિની લાંબી ઉંમરની કામના સાથે આ વ્રત કરે છે. આયુર્વેદની દૃષ્ટિએ શરદ ઋતુમાં આવતા આ વ્રતને કરવાથી મહિલાઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સૂર્યોદય સાથે જ આ વ્રત શરૂ થઈ જાય છે. જે સાંજે ચંદ્રની પૂજા પછી પૂર્ણ થાય છે. આ વખતે કરવા ચોથના દિવસે શુક્ર અસ્ત રહેશે.

કરવા ચોથના દિવસે શુક્ર અસ્ત રહેશે

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે 2 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી શુક્ર અસ્ત રહેશે. મુહૂર્ત ચિંતામણિ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શુક્ર અસ્ત હોવાથી માંગલિક કાર્યો સાથે સૌભાગ્ય પર્વ એટલે કરવા ચોથ વ્રતની શરૂઆત પણ કરી શકાય નહીં. એટલે જે મહિલાઓ માટે આ પહેલું કરવા ચોથ છે તેઓ આ વર્ષે આ વ્રત રાખી શકસે નહીં. આ સિવાય જે મહિલાઓ પહેલાંથી જ આ વ્રત કરી રહી છે તેમને શુક્ર અસ્તનો દોષ લાગશે નહીં.

કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે આ વખતે કરવા ચોથના દિવસે શુક્ર અસ્ત હોવાથી નવી પરિણીત મહિલાઓ આ વ્રત કરી શકશે નહીં. પરંતુ જે મહિલાઓ પહેલાંથી જ આ વ્રત કરી રહી છે તેમને કોઈ દોષ લાગશે નહીં. પરંતુ આ વખતે ગુરુ પોતાની જ રાશિમાં હોવાથી અને ગુરુવાર હોવાથી આ વ્રતનું શુભફળ અનેકગણું વધી જશે.

તિરૂપતિના જ્યોતિષાચાર્ય ડો. કૃષ્ણકુમાર ભાર્ગવ જણાવે છે કે શુક્ર ગ્રહના અસ્ત રહેતા નવા વ્રતની શરૂઆત અને અંત એટલે કે પારણાં કરી શકાશે નહીં. આવું જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. એટલે આ વખતે જેમનું પહેલું કરવા ચોથ વ્રત છે તેઓ વ્રત રાખી શકશે નહીં.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow