NSEએ ડબ્બા ટ્રેડિંગ સામે રોકાણકારોને સતર્ક કર્યા

NSEએ ડબ્બા ટ્રેડિંગ સામે રોકાણકારોને સતર્ક કર્યા

નેશનલ સ્ટોક એક્સચેન્જે રોકાણકારોને ખાતરી સાથે વળતરના વાયદા સાથે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવતા ઠગો સામે રોકાણકારોને સજાગ રહેવાની ચેતવણી આપી છે. શેર્સમાં ટ્રેડિંગ કરવા માટે ડબ્બા ટ્રેડિંગ એક ગેરકાયદેસર માધ્યમ છે, જ્યાં સંચાલકો સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મની બહાર લોકોને ઇક્વિટીમાં ટ્રેડિંગ કરવા માટેની મંજૂરી આપે છે.

પારસનાથ કોમોડિટી પ્રાઇવેટ લિમિટેડ, પારસનાથ બુલિયન પ્રાઇવેટ લિમિટેડ, ફેરી ટેલ ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ભરત કુમાર રોકાણકારોને ખાતરી સાથે રિટર્નનો વાયદો કરીને ડબ્બા ટ્રેડિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હોવાનું સામે આવ્યા બાદ NSEએ આ સાવચેતીભર્યું નિવેદન બહાર પાડ્યું છે.

એક્સચેન્જે જણાવ્યું હતું કે આ લોકોએ NSEના કોઇપણ રજીસ્ટ્રેશન ધરાવતા સભ્યને ત્યાં સભ્ય અથવા સત્તાવાર વ્યક્તિ તરીકે કોઇપણ પ્રકારની નોંધણી કરાવી નથી. તદુપરાંત. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. રોકાણકારોને સતર્ક કરતાં NSEએ સ્ટોક માર્કેટમાં રિટર્નની ખાતરી આપતા હોય તેવી કોઇપણ કંપની કે વ્યક્તિની કોઇપણ સ્કીમ કે પ્રોડક્ટને સબસ્ક્રાઇબ ન કરવા કહ્યું છે. રોકાણકારોને આ પ્રકારના કોઇપણ ગેરકાયદેસર પ્લેટફોર્મ પર ટ્રેડિંગ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow