હવે ઘરે બેઠા જ OTT પર નિહાળી શકશો ફિલ્મ 'Kantara', એ પણ હિંદીમાં, ફટાફટ નોટ કરી લો આ તારીખ

હવે ઘરે બેઠા જ OTT પર નિહાળી શકશો ફિલ્મ 'Kantara', એ પણ હિંદીમાં, ફટાફટ નોટ કરી લો આ તારીખ

ફિલ્મ 'કાંતારા'ને ઓટીટી પર ઉતારવામાં આવી

હાલમાં ભારતીય બૉક્સ ઑફિસ પર સાઉથ ફિલ્મોની બોલબોલા છે. આવી એક ફિલ્મ કાંતારા છે, જેની ચર્ચાઓ દરેક બાજુએ છે. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે અને પછી તેને ઓટીટી પર ઉતારવામાં આવી. જો કે, ઓટીટી પર અત્યાર સુધી તેને તેલુગુ, મલયાલમ અને તામિલ ભાષામાં રીલીઝ કરવામાં આવી હતી.

હિન્દીમાં OTT પર ધૂમ મચાવવા તૈયાર

હવે ઓટીટી પર એમેઝોન પ્રાઈમ વીડિયો પર તેને હિન્દી ભાષામાં રીલીઝ કરાઈ રહી છે. સાઉથ સ્ટાર રિષભ શેટ્ટીની આ ફિલ્મ થિયેટર્સમાં ધમાલ મચાવ્યાં બાદ હવે હિન્દીમાં ઓટીટી પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. રિષભે મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતા કાંતારા હિન્દીની રીલીઝ ડેટનો ખુલાસો કર્યો.

9 ડિસેમ્બરે થશે રીલીઝ

ઉલ્લેખનીય છે કે કાંતારા હિન્દીમાં 9 ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ પર રીલીઝ થવાની છે, જો કે, આ હિન્દીની જાહેરાત અભિનેતા દ્વારા ખૂબ રોચક પદ્ધતિથી કરવામાં આવી છે. વીડિયોમાં રિષભને એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે કાંતારા હિન્દીમાં ક્યારે રીલીઝ થશે. રિષભ આ સવાલથી થાકી જાય છે અને સોફા પર બેસી જાય છે ત્યારે દરવાજા પર એક કુરિયરવાળો રિષભ માટે કઈક લઇને આવે છે, અને અભિનેતાને જોતા જ એવો સવાલ પૂછે છે કે કાંતારા હિન્દીમાં ક્યારે આવી રહી છે?

ફિલ્મ અસ્પષ્ટ રીતિ-રિવાજ, પરંપરાઓ પર આધારિત

આ સવાલથી કંટાળીને આખરે રિષભ કાંતારા હિન્દીની જાહેરાત કરે છે. સોશિયલ મીડિયામાં રિષભનો આ વીડિયો છવાયેલો છે. મહત્વનું છે કે લગભગ 16 કરોડ રૂપિયાના ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ અસ્પષ્ટ રીતિ-રિવાજ, પરંપરાઓ અને સ્થાનિક લોકકથાઓની આસપાસ ફરે છે અને આ ફિલ્મના રાઈટર અને ડાયરેક્ટર જાતે રિષભ પંત છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow