હવે પર્સનાલિટી મુજબ સિગ્નેચર ડિઝાઇન કરાવવાનો ટ્રેન્ડ

હવે પર્સનાલિટી મુજબ સિગ્નેચર ડિઝાઇન કરાવવાનો ટ્રેન્ડ

એક જ રીતે હસ્તાક્ષર કરવાથી કંટાળો આવી શકે છે. તો હવે હસ્તાક્ષરની પણ કૉસ્મેટિક સર્જરી થઇ રહી છે. ડૉક્ટર, વકીલ અને જાણીતી હસ્તિઓ વિશિષ્ટ અંદાજમાં સાઇન કરવા માટે તેમની કૉસ્મેટિક સર્જરીનો રસ્તો પસંદ કરી રહ્યાં છે. તેના માટે તેઓ કેલિગ્રાફરની સેવાઓ લઇ રહ્યાં છે. લૉસ એન્જલસમાં કેલિગ્રાફર પ્રિસિલા મોલિનાની પાસે મહિનામાં તેના માટે 300 ગ્રાહકો આવે છે. તેઓ સાઇનની કૉસ્મેટિક સર્જરીના પોતાના પેકેજમાં નક્કી કિંમતના બદલે ત્રણ ડિઝાઇન પ્રસ્તાવિત કરે છે. તેમનું કહેવું છે કે પ્રસિદ્ધ અને પ્રોફેશનલ લોકો પોતાની સાઇનને નવો લૂક આપવા માંગે છે.

સાઇન બદલવાની ઇચ્છાની પાછળ તેઓ એક જ કારણ માને છે કે આ લોકો હવે પોતાના નામની સાઇન કરવાથી કંટાળી ગયા છે. મોલિના કહે છે કે તેઓ પોતાની સાઇનથી ખુશ નથી. અત્યારની સાઇન તેમના વ્યક્તિત્વ સાથે બંધબેસતી નથી. તેઓ દુનિયાને જે સંદેશ આપવા માંગે છે તે અત્યારના હસ્તાક્ષરથી કરી શકતા નથી. મિસૌરીમાં સેંટ લુઇમાં સાઇનના કોસ્ટમેટિક સર્જન સોનિયા પલામંદ કહે છે કે આ લોકોને પોતાને નવી રીતે શોધવાની રીત છે. તમે જે રીતે તમારી જાતને લોકો સમક્ષ પ્રસ્તુત કરો છો, તે તેને પ્રભાવિત કરે છે કે તમે પોતાને કઇ રીતે જુઓ છો. એટલે જ સિગ્નેચર તમારી ઝલક આપે છે. તે તમારા વ્યક્તિત્વની અભિવ્યક્તિ કરે છે.

રોજ અભ્યાસથી 3 દિવસમાં નવા સિગ્નેચરમાં કુશળ
કેલિગ્રાફર્સનું કહેવું છે કે 15 થી 20 મિનિટના દૈનિક અભ્યાસથી લોકો ત્રણ દિવસમાં તેમના નવા હસ્તાક્ષર કરવામાં માહિર થઇ જાય છે. તમે નવું કરવામાં કેટલી રૂચિ ધરાવો છો તેના પર નિર્ભર કરે છે. ગ્રાહકોને તેમના ટેમ્પલેટ અને સ્ટેંસિલ્સ પર અભ્યાસ કરવાનું કહેવાય છે. અભ્યાસથી નવો લૂક મળી જાય છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow