હવે જર્મની પણ ચીન પર નિર્ભર નહીં રહે, નવી વ્યૂહનીતિ ઘડી

હવે જર્મની પણ ચીન પર નિર્ભર નહીં રહે, નવી વ્યૂહનીતિ ઘડી

અમેરિકા અને બ્રિટન બાદ હવે વધુ એક દેશ ચીનના પડકારનો સામનો કરવા આગળ આવ્યો છે. યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મનીએ તેની નવી નીતિ જાહેર કરી છે. એશિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનને ભાગીદાર, હરીફ અને માળખાકીય પ્રતિસ્પર્ધી તરીકે ગણાવી છે. જર્મન સરકારે 64 પાનાનો દસ્તાવેજ જારી કરતાં જણાવ્યું હતું કે જર્મની હવે ચીન પરની નિર્ભરતા ઘટાડશે. નવી નીતિમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે ચીન સાથે રિચર્સ સહયોગ બંધ કરી દેવામાં આવશે. સંશોધન પ્રોજેક્ટ્સને જર્મન સરકાર સમર્થન આપશે નહીં. તેમજ જર્મન શિક્ષણવિદોને સહયોગના સુરક્ષા જોખમો વિશે વધુ જાગૃત કરવામાં આવશે. નોંધનીય છે કે જર્મની મુખ્ય ક્ષેત્રોમાં ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે મહત્ત્વનાં પગલાં ભરશે.

અમેરિકાની ચીન પ્લસ વન પોલિસી
અમેરિકા ભારતને ચીનના પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે, તેથી જ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર ઘણો વધ્યો છે. ચીનના વિકલ્પ માટે અમેરિકાએ ચીન પ્લસ વન પોલિસી શરૂ કરી છે. તેનો હેતુ કંપનીઓને ચીનની બહાર કામગીરી વિસ્તારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

જાપાન સમાન વિચારધારાવાળાને મદદ કરશે
ચીન સાથે સ્પર્ધા કરવા માટે જાપાને ગયા એપ્રિલમાં એક યોજના રજૂ કરી હતી. તે મુખ્યત્વે એશિયામાં સમાન વિચારધારા ધરાવતા દેશોને સૈન્ય સહાય પ્રદાન કરશે, કારણ કે જાપાન તાઈવાન અને દક્ષિણ ચીન સાગરના મુદ્દાઓ પર ચીનના આક્રમક વલણનો સામનો કરવા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેનો પ્રભાવ વધારવા માંગે છે. જાપાનનું આ પગલું તેની અગાઉની નીતિને તોડે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow