નામચીન બિલ્ડર શફી ફ્રૂટવાલાનો કોર્ટ પરિસરમાં વેપારી પર લોહિયાળ હુમલો

નામચીન બિલ્ડર શફી ફ્રૂટવાલાનો કોર્ટ પરિસરમાં વેપારી પર લોહિયાળ હુમલો

દોઢ કરોડના ચેક રિટર્ન કેસની સુનાવણી વેલા દિવાળીપુરા કોર્ટ પરિસરમાં જ ફરિયાદી પર બહુચર્ચિત બિલ્ડર શફી ફ્રૂટવાલા અને માથાભારે જમાઈએ હુમલો કર્યો હતો. જેમાં બંદૂક બતાવી હોવાની વાત બહાર આવતાં ચકચાર મચી હતી. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો દોડી આવ્યો હતો. ઘટના બાદ કોર્ટ પરિસરમાં વકીલ, જજ તથા અન્યની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊઠ્યા છે. ગોત્રી પોલીસે મોડી સાંજે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કોર્ટ પરિસરમાં જ હુમલાનો ભોગ બન્યા બાદ લોહીલુહાણ નિઝામ ચિશ્તીએ મીડિયાને જણાવ્યું કે, મારી અને બિલ્ડર શફી ફ્રૂટવાલાની ઓળખાણ થયા બાદ મેં તેના ધંધામાં રોકાણ માટે રૂપિયા આપ્યા હતા. જેની સામે આપેલા ચેક રિટર્ન થતાં અદાલતમાં ફરિયાદ કરી હતી, જેની આજે 138ની ફરિયાદ દાખલ કરી હતી. તેણે મારી જોડે ઠગાઈ કરી હતી. બનાવ સમયે નિઝામ સાથે હાજર હૈદરભાઇએ મીડિયાને જણાવ્યું કે, મારા મિત્ર નિઝામ ચિશ્તીની તારીખ હતી. અમે કોર્ટના રૂમ ડી-30 પાસે ઊભા હતા. અંદર સામેવાળાની જબાની હતી.

શફી ફ્રૂટવાલા સાથે તે લોકો બહાર આવ્યા અને અચાનક નિઝામ પર હુમલો કર્યો. હું બચાવવા ગયો તો મને ફેંટ મારી અને માર માર્યો હતો. હુમલામાં સામેલ તેનો જમાઈ અમદાવાદનો ગુંડો છે. આ માથાભારે લોકો કોર્ટમાં આવું કરી શકે તો રોડ પર મારા મિત્રને મારી પણ નાખી શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow