ના હોય! એક એપિસોડ માટે તારક મેહતાના જેઠાલાલ લે છે આટલી બધી ફી, કિંમત જાણીને ચોંકી ઉઠશો

ના હોય! એક એપિસોડ માટે તારક મેહતાના જેઠાલાલ લે છે આટલી બધી ફી, કિંમત જાણીને ચોંકી ઉઠશો

'તારક મહેતા' શોના કલાકાર કેટલુ કમાય છે?

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને 15 વર્ષથી વધુનો સમય થયો છે. ભલે આ વર્ષોમાં શોની કાસ્ટમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે, પરંતુ હજી પણ ઘણા એવા કલાકાર છે, જે અત્યારે પણ શોમાં છે. શોની ટીઆરપી હંમેશા ઉપર રહે છે અને આ દેશમાં સૌથી વધુ જોવામાં આવતો કોમેડી શોમાંથી એક છે. આવો જાણીએ આખરે કેટલુ કમાય છે શોના આ કલાકાર.  

દિલીપ જોશી- શોમાં જેઠાલાલનો રોલ પ્લે કરનારા અભિનેતા દિલીપ જોશી ઘણી બધી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં શોના સૌથી જૂના અને લોકપ્રિય કલાકાર છે. રિપોર્ટસ મુજબ એક એપિસોડ માટે દિલીપ જોશી 1.5 લાખ રૂપિયા લે છે, જે એક એપિસોડ માટે લેવામાં આવતી સારી રકમ છે.

મુનમુન દત્તા- શોમાં બબિતા ભાભીનો રોલ નિભાવતી અભિનેત્રી મુનમુન દત્તા પણ શોની સાથે ઘણા સમયથી જોડાઈ છે. બબીતાજીની અદાની દુનિયા દીવાની છે. તેઓ સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીરોથી પ્રશંસકોને આકર્ષિત કરે છે. એક એપિસોડ માટે મુનમુન દત્તા 35 થી 50 હજાર રૂપિયા લે છે.

શૈલેષ લોઢા- કવિ અને અભિનેતા શૈલેશ લોઢા ભલે હવે શોનો ભાગ રહ્યાં નથી પરંતુ શોની સાથે તેમનો સંબંધ ખૂબ લાંબો અને યાદગાર રહ્યો છે. દિલીપ જોશી બાદ એક શો માટે સૌથી વધુ ફી લેનાર શૈલેશ લોઢા જ છે. તેમને એક એપિસોડ માટે 1 લાખ રૂપિયા મળતા હતા.

મંદર ચંદ્રવડકર- શોમાં આત્મારામ તુકારામ ભિડેનુ પાત્ર પ્લે કરનારા જાણીતા મરાઠી અભિનેતા મંદર ચંદ્રવડકર એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા લે છે.

અમિત ભટ્ટ- જેમાં કોઈ શંકા નથી કે અમિત ભટ્ટ એક ખૂબ પ્રતિભાશાળી અભિનેતા છે. તેમણે શોમાં પોતાની ઉંમરથી મોટા અભિનયવાળો રોલ નિભાવ્યો છે. બાપૂજીના રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ પણ એક શો માટે 70-80 હજાર રૂપિયા ફી પેટે લે છે.

શ્યામ પાઠક- શોમાં પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનારા શ્યામ પાઠકની વાત કરીએ તો રિપોર્ટસ મુજબ તેઓ એક શોના 60 હજાર રૂપિયા ચાર્જ લે છે. શ્યામ ઘડાયેલા થિયેટર આર્ટીસ્ટ છે અને હોલીવુડની ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow