ના હોય! એક એપિસોડ માટે તારક મેહતાના જેઠાલાલ લે છે આટલી બધી ફી, કિંમત જાણીને ચોંકી ઉઠશો

ના હોય! એક એપિસોડ માટે તારક મેહતાના જેઠાલાલ લે છે આટલી બધી ફી, કિંમત જાણીને ચોંકી ઉઠશો

'તારક મહેતા' શોના કલાકાર કેટલુ કમાય છે?

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને 15 વર્ષથી વધુનો સમય થયો છે. ભલે આ વર્ષોમાં શોની કાસ્ટમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે, પરંતુ હજી પણ ઘણા એવા કલાકાર છે, જે અત્યારે પણ શોમાં છે. શોની ટીઆરપી હંમેશા ઉપર રહે છે અને આ દેશમાં સૌથી વધુ જોવામાં આવતો કોમેડી શોમાંથી એક છે. આવો જાણીએ આખરે કેટલુ કમાય છે શોના આ કલાકાર.  

દિલીપ જોશી- શોમાં જેઠાલાલનો રોલ પ્લે કરનારા અભિનેતા દિલીપ જોશી ઘણી બધી ફિલ્મોનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં શોના સૌથી જૂના અને લોકપ્રિય કલાકાર છે. રિપોર્ટસ મુજબ એક એપિસોડ માટે દિલીપ જોશી 1.5 લાખ રૂપિયા લે છે, જે એક એપિસોડ માટે લેવામાં આવતી સારી રકમ છે.

મુનમુન દત્તા- શોમાં બબિતા ભાભીનો રોલ નિભાવતી અભિનેત્રી મુનમુન દત્તા પણ શોની સાથે ઘણા સમયથી જોડાઈ છે. બબીતાજીની અદાની દુનિયા દીવાની છે. તેઓ સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહે છે અને પોતાની ગ્લેમરસ તસ્વીરોથી પ્રશંસકોને આકર્ષિત કરે છે. એક એપિસોડ માટે મુનમુન દત્તા 35 થી 50 હજાર રૂપિયા લે છે.

શૈલેષ લોઢા- કવિ અને અભિનેતા શૈલેશ લોઢા ભલે હવે શોનો ભાગ રહ્યાં નથી પરંતુ શોની સાથે તેમનો સંબંધ ખૂબ લાંબો અને યાદગાર રહ્યો છે. દિલીપ જોશી બાદ એક શો માટે સૌથી વધુ ફી લેનાર શૈલેશ લોઢા જ છે. તેમને એક એપિસોડ માટે 1 લાખ રૂપિયા મળતા હતા.

મંદર ચંદ્રવડકર- શોમાં આત્મારામ તુકારામ ભિડેનુ પાત્ર પ્લે કરનારા જાણીતા મરાઠી અભિનેતા મંદર ચંદ્રવડકર એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા લે છે.

અમિત ભટ્ટ- જેમાં કોઈ શંકા નથી કે અમિત ભટ્ટ એક ખૂબ પ્રતિભાશાળી અભિનેતા છે. તેમણે શોમાં પોતાની ઉંમરથી મોટા અભિનયવાળો રોલ નિભાવ્યો છે. બાપૂજીના રોલમાં તેમને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ પણ એક શો માટે 70-80 હજાર રૂપિયા ફી પેટે લે છે.

શ્યામ પાઠક- શોમાં પત્રકાર પોપટલાલનો રોલ પ્લે કરનારા શ્યામ પાઠકની વાત કરીએ તો રિપોર્ટસ મુજબ તેઓ એક શોના 60 હજાર રૂપિયા ચાર્જ લે છે. શ્યામ ઘડાયેલા થિયેટર આર્ટીસ્ટ છે અને હોલીવુડની ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow