ટોપ-10 કંપનીઓમાંથી 8ની MCAPમાં વધારો થયો

ટોપ-10 કંપનીઓમાંથી 8ની MCAPમાં વધારો થયો

ગયા સપ્તાહમાં ઈક્વિટી માર્કેટમાં સકારાત્મક વલણ વચ્ચે ટોપ-10 કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ. 2.03 લાખ કરોડ થઈ હતી. આ કંપનીઓમાં સૌથી વધારે નફો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને થયો છે. BSE સેન્સેક્સ ગયા સપ્તાહે 1,387.18 પોઈન્ટ (2.39%) વધ્યો હતો.

રિલાયન્સની MCAPમાં રૂ. 68.29 હજાર કરોડનો વધારો થયો

આ દરમિયાન HDFC અને બજાજ ફાઈનાન્સને છોડીને ટોપ-10માંથી 8 કંપનીઓની માર્કેટ કેપિટલાઈઝેશન વધી. ઈન્ડેક્સ હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન (mcap) રૂ. 68.29 હજાર કરોડ વધીને રૂ. 16.72 લાખ કરોડ થયું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના એમકેપમાં 30.120 હજાર કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો છે. જેના કારણે તેની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 5 લાખ કરોડ રૂપિયા થઈ છે.

ICICI બેંકની MCAP 6.32 લાખ કરોડ થઈ

ICICI બેંકની MCAP 25.94 હજાર કરોડ વધીને 6.32 લાખ કરોડ રૂપિયા અને હિંદુસ્તાન યુનિલીવર લિમિટેડ(HUL)ની માર્કેટ કેપિટલાઈઝેશન 18.60 હજાર કરોડના વધારા સાથે 6.23 લાખ કરોડ થઈ છે. ભારતી એરટેલનું એમકેપ વેલ્યુએશન 17.38 હજાર કરોડ વધીને રૂ.4.43 લાખ કરોડ થયું છે.

ITCની એમકેપ 16.73 હજાર કરોડ વધીને રૂ. 4.28 લાખ કરોડ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની 15.27 હજાર કરોડ વધીને રૂ. 11.48 લાખ કરોડ પહોંચી છે. ઈન્ફોસિસની MCAP 10.96 હજાર કરોડ વધીને રૂ. 6.31 લાખ કરોડ થઈ છે.

બજાજ ફાઇનાન્સ અને એચડીએફસી બેન્કની MCAP ઘટી

બજાજ ફાઇનાન્સની MCAP 4.87 હજાર કરોડ ઘટીને રૂ. 4.35 લાખ કરોડ અને HDFC બેન્કની 1.50 હજાર કરોડ ઘટીને રૂ. 8.01 લાખ કરોડ પહોંચી છે.

લિસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે

સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. આ પછી, TCS, HDFC બેંક, ICICI બેંક, ઇન્ફોસિસ, HUL, SBI, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ અને ITC કંપનીઓ ટોપ-10 લિસ્ટમાં સામેલ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow