PM તરીકે ઋષિ સુનકની જીત નકકી

PM તરીકે ઋષિ સુનકની જીત નકકી

PM તરીકે ઋષિ સુનકની જીત નક્કી

ઋષિ સુનકને બ્રિટનના આગામી પીએમ બનવા નક્કી માનવામાં આવી રહ્યા છે. સોમવારે સાંજે 6.30 વાગ્યે પરિણામ આપણી સમક્ષ આવી જશે. પ્રધાનમંત્રી લિઝ ટ્રસ્ટના રાજીનામા પછી બોરિસ જોનસન, ઋષિ સુનક અને પેની મૉરડૉન્ટનાં નામ સામે આવ્યાં છે. રવિવારે બોરિસ જોનસન રેસમાંથી બહાર થઈ ગયા અને હવે માત્ર બે દાવેદાર જ રહ્યા છે.

બ્રિટનની સંસદમાં 357 સાંસદ છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, પ્રધાનમંત્રી બનવા 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સુનકને 155 સાંસદોનું સમર્થન છે. બીજી તરફ પેની મૉરડૉન્ટ માત્ર 25 સાંસદોનું સમર્થન મેળવી શકી છે. આ માટે આજે પાર્ટીના સભ્યો બેલેટથી નહીં પણ ઓનલાઈન વોટિંગ કરશે.

28 ઓક્ટોબરે બ્રિટનના નવા પ્રધાનમંત્રી શપથ લેશે. ત્યાર પછી 29 ઓક્ટોબરે નવી કેબિનેટ રચવામાં આવશે. બોરિસ જોનસને પ્રધાનમંત્રીની રેસમાંથી પોતાનું નામ પરત લેતાં પહેલાં કહ્યું હતું કે, તેમની પાસે 60 સાંસદોનું સમર્થન છે. બોરિસે પીછેહઠ કરતા કહ્યું કે, જો પાર્ટી સંસદમાં એકજૂથ નહીં થાય તો સરકાર સારી રીતે ચલાવી શકાશે નહીં. અમે ચૂંટાયેલા પીએમને સમર્થન આપીશું.

22 ઓક્ટોબરે સુનક-જોનસન મળ્યા હતા, સહમતી થઈ નહોતી. બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને તેમની સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનકે 22 ઓક્ટોબરે મોડી રાત સુધી વાતચીત કરી હતી. આ પછી સુનકે પીએમ ચૂંટણી લડવાની જાહેરાત કરી. જોનસને ઉમેદવાર પેની મોર્ડોન્ટ સાથે પણ વાટાઘાટો કરી હતી, પરંતુ કોઈ પરસ્પર કરાર થયો ન હતો. ત્યારબાદ તેણે પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow